SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) મન વચન કાયાથી જીવેને દુઃખ દેવા રૂપ જે દંડ છે, તે દૂર કરવાથી તે નિશ્ચિત દંડવાળા (સંયમ પાળનારા) છે. તથા તપ સંયમમાં ઉદ્યમ કરવાથી સમાહિત (શાંત) અંતકરણ: વાળા છે, તેમને જિનેશ્વર વિશેષથી ધર્મ કહે છે, તેજ પ્રમાણે પ્રકર્ષથી જણાય, તે પ્રજ્ઞાન છે, તેવું જ્ઞાન ધરાવનાર બુદ્ધિમાનેને આ મનુષ્ય લેકમાં જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ મુક્તિ માર્ગ છે તે બતાવે છે. આ પ્રમાણે સસરણમાં સાક્ષાત થઈ સંભળાવતાં કેટલાક લઘુકમી છે (પૂર્ણ શ્રદ્ધા થતાં) તેજ વખતે ચારિત્ર ગ્રહણ કરે છે, પણ બીજા તેમ ચારિત્ર લેત. નથી, તે કહે છે, એટલે ઉપર કહ્યા પ્રમાણે કર્મ વિવર જેમને મળ્યું તેવા કેટલાક ભવ્યાત્માઓ જિનેશ્વર પાસે ધર્મ સાંભળતાંજ સંયમ સંગ્રામની ટોચે પરાક્રમ બતાવે છે, અથવા પર તે ઇદ્ધિ અથવા કર્મ શત્રને જીતવા પરાક્રમી બને છે, (અવિ શબ્દને અર્થ “ર” છે, અને “ર” ને અર્થ વાક્યને ઉપન્યાસ કરવા માટે છે) હવે તેથી ઉલટું કહે છે. તીર્થકર પિતે બધા સંશયને છેદનારા ધર્મ કહે છે, છતાં કેટલાકને પ્રબળ મેહના ઉદયે ઘેરી લેવાથી સંયમમાં ખેદ પામતા રહે. છે, (કાંતે સંયમ લેતા નથી, લે, તે પૂરે પાળતા નથી તેવાને તમે જુઓ (ગુરૂ શિષ્યને કહે છે) તે બહળ કમી સંયમમાં દુઃખ પામતા જીવે કેવા છે. તે કહે છે, આત્માના હિતને માટે જેમની પ્રજ્ઞા (બુદ્ધિ) કામ કરતી નથી, તે
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy