SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૮) તે પૂર્વ બતાવેલ સાધુ અથવા સાધ્વી અશન વિગેરે આહાર ઉદ્ગમ ઉત્પાદન એષણાથી શુદ્ધ અને પ્રત્યુત્પન્ન તે ગ્રહણ એષણ શુદ્ધ એટલે ૧૬ ગૃહસ્થ દાન દેનારના તથા સેળ લેનારના તથા દશ બંનેના ભેગા મળી કુલ કર ષથી રહિત આહાર લાવીને ગોચરી કરતાં જે પાંચ દેષ અંગાર ધૂમ વિગેરે છે તેને વઈને આહાર કરે, તે અંગાર અને ધૂમ રાગદ્વેષના કારણે થાય છે તેમાં પણ સરસ નીરસ આહાર આવે તે રાગ દ્વેષ થાય છે, અને કારણને અભાવ થતાં કાર્યને પણ અભાવ છે, એમ જાણીને રસની ઉપલબ્ધિ (સ્વાદ)નું નિમિત્ત ત્યજવાનું બતાવે છે. તે સાધુ આહાર કરતાં ડાબી બાજુથી જમણી બાજુ સ્વાદ લેવા માટે ભોજન વિગેરે ન લઈ જાય તે જ પ્રમાણે સ્વાદ લેવા જમણી બાજુથી ડાબી બાજુ ન લઈ જાય, કારણકે સંસારના સ્વાદથી રસની પ્રાપ્તિમાં રાગદ્વેષનું નિમિત્ત છે, અને તે થી જ અંગાર તથા ધૂમ દોષ લાગે છે, જેથી ઉત્તમ સાધુ સાધ્વીએ જે કંઈ સ્વાદિષ્ટ હોય તેને સ્વાદ ન કરે, બીજી પ્રતિમાં ગાઢા પાળ પાઠ છે, તેને અર્થ આ છે, કે “આહારમાં આદરવાળે મૂચ્છ વાળા બનીને આહારને આમ તેમ ન ફેરવે હનુ (હડપચી) માં આમ તેમ ડાબી જમણીમાં ન ફેરવવું, તેમ બીજે પણ સ્વાદ લે નહિ તે બતાવે છે. તે
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy