SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૪) ગ્રહથી બંધાયેલા (કદાગ્રહી) છે, તથા ઉપસ્થાન તે બનાવટી તેમનું ધર્માચરણું છે, તેમાં ઉદ્યમ કરનારા તે પિસ્થાન વાળા છે, તેઓ બોલે છે, કે “અમે પણ પ્રજિત છીએ છતાં સારા ધર્મના વિશેષ વિવેકથી રહિત બનીને સાવદ્ય આરંભમાં વર્તે છે. તેમાં કેટલાક કુમાર્ગની વાસના વાળા ( મિથ્યાત્વી) નથી, પણ આળસ નિદા સ્તંભ (માન) વિગેરે (૧૩ કાઠિયા)થી બુદ્ધિ હણાતાં તીર્થકરના કહેલા સદાચારમાં નિરૂપસ્થાન વાળા (સારા ધર્માનુષ્ઠાન રહિત) છે. એટલે મિથ્યાત્વી ચારિત્રના નામે અનાચાર કરે, અને સમ્યફવી જે પ્રમાદથી સંયમ પાળવામાં ખેદ પામે છે. તે બંનેને દુર્ગતિ મળવાની છે, તેવું જાણીને ગુરૂ કહે છે હે શિષ્ય ! તને તેવી દુર્ગતિ ન થાઓ! (માટે સમ્યકત્વ ધારણ કરી ને પ્રમાદ છેડી પુરે સંયમ પાળ !) આવું સુધર્માસ્વામી પિતાની બુદ્ધિથી નથી કહેતા, તે કહે છે, “તઃ” ઉપર કહેલું (જિનેશ્વરનું છે) અથવા આજ્ઞા રહિત નિરૂપસ્થા પણું છે, અને આજ્ઞા પાલનમાં સોપ સ્થાનપણું (ચારિત્ર) છે, આવું તીર્થકરનું દર્શન (મંતવ્ય) છે, અથવા હવે પછી જે ઉપદેશ કહે છે, તે તીર્થ કરતું દર્શન છે, કે કુમાર્ગ છેડીને હમેશાં આચાર્યની સેવા કરનારા થવું, તે આચાર્યની દ્રષ્ટિમાં રહેવું તે “તદ્રષ્ટિ છે, એટલે તીર્થકરે કહેલા આગમમાં દષ્ટિ રાખનારે છે; તથા.
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy