SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ બહાદષ્ટિઃ શ્રવણ વિનાની શુશ્રષા પણ સફળ-અવિક્ષેપ (૨૨૭) જોગ ન હોય તે શું ? તેને અહીં ખુલાસો કર્યો છે કે-શુશ્રષા છતાં શુશ્રષાથી શ્રવણ ન બને, તે પણ તે શુશ્રષા થવી એ શુભભાવમાં પ્રવૃત્તિ છે, એટલે કર્મક્ષય તેથી કરીને કર્મક્ષયરૂપ ફળ ઉપજે છે, અને તે કર્મક્ષય ઉત્તમ પ્રકારના બેધનું નિબંધન-કારણ હોય છે. આમ કેવલ શુશ્રષા-સાંભળવાની સાચી અંતરંગ ઈચ્છા થવી તે પણ ઘણું મેટી વાત છે, પ્રશસ્ત છે, અને પરંપરાએ તે પણ લાભદાયક થાય છે. કારણ કે તેવા શુભભાવથી આગમન પ્રમાણપણને લીધે કર્મને ક્ષય થાય છે, અને તેના પરિણામે પરમ બેધના નિમિત્ત મળી આવે છે. જે સાચો તવપિપાસુ મુમુક્ષુ હોય છે, તેને તેના ભાગ્યદયથી ખેંચાઈને ઉત્તરોત્તર પ્રધાન બોધના કારણે પ્રાપ્ત થાય છે; પુરુષ સદ્ગુરુને જેગ બની આવે છે, ને સત્ શ્રુત વગેરેની પ્રાપ્તિ થાય છે. લેહચુંબક જેમ લેહને ખેંચે, તેમ તેવું તેવાને ખેંચે છે (Like attracts like). આ શુશ્રષામાં પણ એવું કેઈ અજબ આકર્ષણ છે, કે સાચા વક્તા સત્પુરુષને સમાગમ ગમે ત્યાંથી થઈ આવે છે. જે તરસ બુઝાવવાની ઈચ્છા છે, તે તે બૂઝાવવાની રીત પણ મળી આવે છે. આમ શુશ્રષા વિનાનું શ્રવણ નિષ્ફળ છે, પણ શ્રવણ વિનાની શુશ્રુષા નિષ્ફળ નથી, પરંતુ કર્મક્ષયરૂપ ફળથી સફળ છે. સાચી ભૂખ લાગી હોય ને ખાધું હોય તે જેમ ભાવે, એચે, મીઠું લાગે ને પગે; ખૂબ તરસ લાગી હોય ને પાણી શુશ્રષાનો જેમ મીઠું અમૃત જેવું લાગે, ને તરસ છીપે; તેમ જે તત્ત્વ સાંભળવાની મહિમા સાચી ભૂખ લાગી હોય, તત્ત્વસુધારસ-પાનની સાચી તરસ લાગી હોય, તે જ તે શ્રવણ ભાવે છે, રુચે છે, ને જીવને અમૃતરૂપે પરિણમે છે; નહિ તે કાણું માટલાની જેમ બીજા કર્ણ–છિદ્ર વાટે બહાર નીકળી જાય છે! હદયમાં કરતું નથી ! માટે આ શુશ્રુષા ગુણનું માહામ્ય ઘણું છે. “બૂઝી ચહત જે પ્યાસકી, હૈ બૂઝન કી રીત.” શ્રીમદ્ રાજચંદ્રજી ગમાં અક્ષેપ ગુણ કહે છે– शुभयोगसमारम्भे न क्षेपोऽस्यां कदाचन । उपायकौशलं चापि चारु तद्विषयं भवेत् ॥ ५५ ॥ શુભ ગ સમારંભમાં, કદી ક્ષેપ અહિં નેગ્ય; ને તે વિષયી ઉપાયનું, કૌશલ સુંદર હોય, પપ, કૃત્તિ-સુમોનિમારમે–શુભ યોગના સમારંભમાં, તથા પ્રકારના દયાન આદિમાં, 7 હેડ કરારન–આ અધિકત દષ્ટિ સતે કદી પણ ક્ષેપ હોતા નથી. વાયબ્રીશારું ચાપિ તેમજ ઉપાયનું કૌશલકુશલપણું પણ,–તથા પ્રકારના દેશ આદિ, આસન આદિ સંબંધી, રા–શોભન, સુંદર, તવિષચં-તેના વિષયે, શુભ સમારંભ વિષયનું, વે-હાય,
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy