________________
આઠ ગદષ્ટિનું સામાન્ય સ્થળ: સારસમુચ્ચય
(૯) “દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે; યણશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે..વીર”
– શ્રી ગo સક્ઝાય, ૨-૫
S
સારસમુચ્ચય-(Summary) પ્રારંભમાં જે ઇચ્છાગ આદિ ત્રણ યોગ કહ્યા, તેમાં અંતભવ-સમાવેશ પામતી સામાન્યથી આ આઠ દષ્ટિ છે મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાંતા, પ્રભા, પર. તેમાં ઉત્તરોત્તર વધતે જાતે બેધ,–તૃણઅગ્નિકણ, ગેમિયઅગ્નિકણ, કાષ્ઠઅગ્નિકણ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે,-અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠમાં પહેલી ચાર સુધી મિથ્યાત્વ હોય છે, પાંચમી થિરા દષ્ટિથી સમ્યક્ત્વને પ્રારંભ થાય છે.
મિત્રા આદિ ચારમાં મિથ્યાત્વ હોવા છતાં તેને સદ્દષ્ટિમાં ગણી, તેનું કારણ એ છે કે તે સમ્યકત્વના કારણરૂપ થાય છે, એટલે કારણમાં કાર્યને ઉપચાર કરવામાં આવ્યું છે. જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી વગેરે અવસ્થાએ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાં–સિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાઓ-આત્મદશાઓ અવશ્ય ઉપયોગી હોય છે. મિત્રા આદિ દષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુર્યની-મીઠાશની પ્રાપ્તિ થાય છે.
આ આઠ દષ્ટિમાં, ચમ-નિયમ વગેરે યોગના આઠ અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હોય છે; ખેદ-ઉદ્વેગ વગેરે આઠ પ્રકારના ચિત્ત-આશય દેષનો ત્યાગ થતાં, અનુક્રમે આ આઠ દષ્ટિ સાંપડે છે; અને અદ્વેષ-જિજ્ઞાસા વગેરે આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ દૃષ્ટિમાં આવિર્ભાવ પામે છે–પ્રગટે છે.
અત્રે “દષ્ટિ શબ્દનો અર્થ સત્શાસ્ત્રશ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એ બધ છે; અને તેના ફળરૂપે અસતુપ્રવૃત્તિ અટકે છે, ને સતુપ્રવૃત્તિપદ પ્રગટે છે.
આ દષ્ટિ આઠ કહી, તે તે કર્મના આવરણ ટળવાની અપેક્ષાએ, સ્થૂલ દષ્ટિબિન્દુથી કહી છે. બાકી સૂક્ષ્મ રીતે જોઈએ તે યુગના સ્થાન અનંત છે.
આ આઠ દૃષ્ટિમાંથી મિત્રા આદિ જે પહેલી ચાર છે, તેને પ્રતિપાત-ભ્રંશ થાય પણ ખરો આવીને ચાલી પણ જાય, અને જો તેમ થાય તે નરકાદિ અપાય પણ ઉપજે. આમ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી-પાછી પડનારી કે અપ્રતિપાતી-પાછી ન પડનારી હોય. એમ વિકલ્પરૂપ ભજના છે. પણ છેલ્લી ચાર સ્થિરા આદિ દષ્ટિ તે અપ્રતિપાતી જ હેય-આવ્યા પછી પાછી પડે જ નહિં એવી હોય, અને તેથી તેમાં નરકાદિ અપાય પણ હોય નહિં.