SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૨ ) યોગષ્ટિસમુચ્ચય હાય છે.આમ તેને આત્મા જ ભક્તિભાવમય બની જાય છે. ભૂતકાળના સમસ્ત કમ દોષથી આત્માને પાછા વાળી–નિવર્તાવી, તેને આત્મા પેાતે પ્રતિકમણુરૂપ થાય છે. ભવિષ્યકાળના સમરત કદોષથી આત્માને નિવર્તાવી-પાછા વાળી તેને આત્મા પાતે પ્રત્યાખ્યાનસ્વરૂપ અને છે. વર્તમાનકાળના સમસ્ત દેષને દૃષ્ટાપણે દેખતે રહી—તેમાં આત્મભાવ છેડી આલેચતા રહી, તેને આત્મા સાક્ષાત્ આલાચનારૂપ બની જાય છે. આમ નિત્ય પ્રત્યાખ્યાન કરતા, નિત્ય પ્રતિક્રમણ કરતા, નિત્ય આલેાચના કરતા, તેને આત્મા પાતે ચારિત્રરૂપ બને છે.* આમ હાવાથી આ સત્પુરુષનું અનુષ્ઠાન આચરણ-ચારિત્ર આવું હાય છે:-- ૧. નિરતિચાર—સમસ્ત પર ભાવના સ્પર્શી વિનાનું હોવાથી, તેમાં કોઇ અતિચાર દોષ હોતા નથી; પર ભાવમાં ગમનરૂપ અતિચરણ ( Transgression ) થતું નથી. ર. શુદ્દોપયાગ અનુસારી—શુદ્ધ ઉપયેગને–આત્મસ્વરૂપને અનુસરનારૂ આ આત્મદશી પુરુષનું અનુષ્ઠાન હોય છે. હું જલમાં કમલપત્રની જેમ અબદુપૃષ્ટ × છુંનિલે પ છું, કાઇ પણ અન્ય ભાવને મ્હારામાં પ્રવેશ નહિ. હાવાથી હું અનન્ય છું, સમુદ્રની જેમ મ્હારા આત્મસ્વભાવ નિત્ય વ્યવસ્થિત હાવાથી હું નિયત છું, પર્યાયષ્ટિ છેડીને દેખતાં હું અવિશેષ છુ,-સુવર્ણીની જેમ એક અખડ દ્રવ્ય છું, મ્હારા એધમીજ સ્વભાવને અપેક્ષીને જોતાં હું કર્મજન્ય મેહાદથી અસયુકત છું. એમ શુદ્ધ આત્માની ભાવના તે પુરુષ ભાવ્યા કરે છે, ને શુદ્ધ નિર્જન એક ' આત્માનું ચિંતન કરતાં નિવિકલ્પ રસનું પાન કર્યા કરે છે. 4 પર્યાયષ્ટિ ન દ્રીજિયે, એક જ કનક અભંગ રે, "" “નિવિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરજન એક રે.”—શ્રી આનંદઘનજી આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન રે.” (શ્રીમદ્ રાજચ'દ્ર) ૩. વિશિષ્ટ અપ્રમાદયુક્ત—આવી શુદ્ધ આત્મભાવનાથી ભાવિત હેાવાથી, આ સત્પુરુષને સ્વરૂપચ્યુતિરૂપ-સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ થતા નથી, અને વિષય-કષાય–રાગદ્વેષાદિની ક્ષીણતા વતે છે ૪. વિનિયેાગપ્રધાન—જે જ્ઞાન-દશને કરી જાણ્યું, પ્રતીત્યું, આચયુ", તેને આ પુરુષ સમ્યક્ વિનિયેાગ-યથાસ્થાને નિયેાજન કરી, (Practical application) ખીજા જીવાને ધર્મમાં જોડે છે, જેથી પેાતાની ધર્મપર'પરા તૂટતી નથી. * “णिच्चं पच्चक्खाणं कुव्वइ णिच्च य पडिक्कमदि जो । નિત્યં બાહોચેય તે દુ અખિં વરૂ થયા ।। ’”—શ્રી સમયસાર x " जो परसदि अप्पाणं अबद्धपुढं अणण्णयं णियदं । અનિલેસમઅંગુત્ત તેં મુદ્રળરું વિચાદિ | ”—શ્રી સમયસાર
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy