________________ 778 દ્વાર ૨૭૧મું - તપ નમુસ્કુર્ણ (શકસ્તવ) અરિહંતચેઇઆણું (ચૈત્યસ્તવ) લોગસ્સ (નામસ્તવ) પુખરવરદી (શ્રુતસ્તવ) સિદ્ધાણંબુદ્વાણ (સિદ્ધસ્તવ) નમસ્કાર મહામંત્ર (પંચમંગલમહાશ્રુતસ્કંધ) 10 પન્ના (દેવેન્દ્રસ્તવ વગેરે) આ સૂત્રોના વિધિપૂર્વક વિશેષ તપરૂપ ઉપધાન કરવા. ભોળા લોકોના હિત માટે બહુશ્રુત આચાર્યોની પરંપરાએ પ્રવર્તાવલ બીજા અનેક તપોની હાલ આચરણ દેખાય છે. તે સિદ્ધસેનસૂરિજી રચિત ‘સામાચારી” માંથી જાણવા. જે સંયમજીવન આજે આપણી પાસે છે એ જીવને આપણને કેટકેટલાંય સ્થળા પર જવાની નાકાબંધી ફરમાવી દીધી છે. એ તમામ નિષિદ્ધ સ્થળોને મન પોતાનામાં સ્થાન આપવા તૈયાર ન હોવું જોઈએ. પ્રભુ હાજર નથી એવી આપણી માન્યતા જડમૂળથી કાઢવી પડશે. ભગવાન સ્વદેહ નથી, પણ ભગવાનની શક્તિ આખા જગતમાં કામ કરી જ રહી છે. સૂર્ય ભલે આકાશમાં છે. પ્રકાશ અહીં છે જ ને ? સિદ્ધ ઉપર છે, પણ એમની કૃપા તો અહીં વરસે જ છે. તેને ઝીલતા આવવી જોઈએ. સંસારી જીવો પોતાના અકાર્યોને ઢાંકવા ઇચ્છતા હોય છે. સાધુ પોતાની સાધનાને ઢાંકી રાખે છે.