SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ 68 જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી (13) દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી = 2 :- અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ આ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરીને લાંબો કાળ ત્યાં રહીને વિગ્રહગતિથી દેવગતિ કે નરકગતિમાં આવે ત્યારે વિગ્રહગતિના ત્રીજા સમયે આ પ્રવૃતિઓની ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા છે. (14) મનુષ્યાનુપૂર્વી :- મનુષ્યાનુપૂર્વાની જઘન્ય સ્થિતિસત્તાવાળો એ કેન્દ્રિય જીવ વિગ્રહગતિથી મનુષ્યગતિમાં આવે ત્યારે વિગ્રહગતિના ત્રીજા સમયે મનુષ્યાનુપૂર્વની ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા કરે છે. તે મનુષ્યાનુપૂર્વીની જઘન્ય સ્થિતિઉદીરણા છે. (૧૫)મિથ્યાત્વમોહનીય, વેદ 3, સંવલન 3 = 7 :- સમ્યકત્વ પામતી વખતે મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વમોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. ક્ષપકશ્રેણિમાં વેદ 3 અને સંજવલન ૩ની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તેમની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. (16) સમ્યકત્વમોહનીય :- દર્શન ૩નો ઉપશમ કે ક્ષય કરનાર જીવ સમ્યકત્વમોહનીયની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તેની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. (17) સંજ્વલન લોભ :- ઉપશમશ્રેણિમાં કે ક્ષપકશ્રેણિમાં સંજવલન લોભની પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તેની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે.
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy