SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 220 સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક (કિષ્ટિવેદનાદ્ધ) પ્રકૃતિ સ્થિતિબંધ સંજવલન લોભ અંતર્મુહૂર્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય દિવસથત્વ નામ, ગોત્ર, વેદનીય વર્ષસહસ્રપૃથક્વ સંજવલન લોભની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા બાકી હોય ત્યારથી સંજવલન લોભની પતંગ્રહતા નષ્ટ થાય છે. ત્યારથી અપ્રત્યાખ્યાનાવરણીય લોભ અને પ્રત્યાખ્યાનાવરણીય લોભના દલિકો સંજવલન લોભમાં ન સંક્રમાવે, પણ સ્વસ્થાનમાં જ ઉપશમાવે. સંજવલન લોભની પ્રથમસ્થિતિની ર આવલિકા બાકી હોય ત્યારે બાદર સંજવલન લોભનો આગાલવિચ્છેદ થાય છે. સંજવલન લોભની પ્રથમ સ્થિતિની 1 આવલિકા બાકી હોય ત્યારે સંજવલન લોભનો બંધવિચ્છેદ થાય છે અને બાદર સંજવલન લોભનો ઉદયોદરણાવિચ્છેદ થાય છે. ત્યારે અપ્રત્યાખ્યાનાવરણીય લોભ-પ્રત્યાખ્યાનાવરણીય લોભ સર્વથા ઉપશાંત થઈ જાય છે. ત્યારે સંજવલન લોભના પ્રથમસ્થિતિના 1 આવલિકામાં રહેલા દલિકો, બીજી સ્થિતિના સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો અને કિટ્ટિના દલિકો અનુપશાંત છે, શેષ બધા દલિકો ઉપશાંત થઈ ગયા છે. ત્યારે ૯મું ગુણઠાણ પૂર્ણ થાય છે. ત્યારે સ્થિતિબંધ આ પ્રમાણે થાય છે - પ્રકૃતિ સ્થિતિબંધ સંજ્વલન લોભ અંતર્મુહૂર્ત (પૂર્વેના અંતર્મુહૂર્ત કરતા નાનુ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ન્યૂન અહોરાત્ર નામ, ગોત્ર, વેદનીય ન્યૂન 2 વર્ષ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક (કિટ્ટિવેદનાદ્ધા) - કિટ્ટિકરણાદ્ધા પૂર્ણ થયા પછી સંજવલન લોભના ઉદયકાળના ત્રીજા ભાગરૂપ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. તેના પ્રથમ સમયે
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy