SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ 211 માન ૩ની ઉપશમના આગાલવિચ્છેદ થાય છે. સંજવલન માનની પ્રથમસ્થિતિની 1 આવલિકા બાકી હોય ત્યારે સંજવલન માનના બંધોદયોદરણાવિચ્છેદ થાય છે. ત્યારે સંજવલન ૩ની સ્થિતિબંધ 2 માસનો થાય છે અને શેષ કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. ત્યારે અપ્રત્યાખ્યાનાવરણીય માન - પ્રત્યાખ્યાનાવરણીય માન સર્વથા ઉપશાંત થઈ જાય છે. ત્યારે સંજવલન માનના પ્રથમસ્થિતિની 1 આવલિકાના દલિકો અને બીજી સ્થિતિના સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો અનુપશાંત છે, શેષ બધા દલિકો ઉપશાંત થઈ ગયા છે. સંજવલન માનની પ્રથમસ્થિતિની 1 આવલિકાના દલિકોને તિબુકસંક્રમથી સંજવલન માયામાં સંક્રમાવે છે. સંજવલન માનના બીજીસ્થિતિના સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો તેટલા જ કાળે પુરુષવેદની જેમ ઉપશમાવે છે અને સંક્રમાવે છે. સંજવલન માનના બંધોદયોદરણાવિચ્છેદ પછી સમય ન્યૂન 2 આવલિકા પછી સંજવલન માન સર્વથા ઉપશાંત થઈ જાય છે. માયા ૩ની ઉપશમના :- જે સમયે સંજવલન માનના બંધોદયોદરણાવિચ્છેદ થાય છે, તે જ સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન માયાના દલિકો ખેંચીને તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. તે જ સમયથી અપ્રત્યાખ્યાનાવરણીય માયા, પ્રત્યાખ્યાનાવરણીય માયા અને સંજવલન માયાને પૂર્વે કહ્યા મુજબ એક સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. સંજવલન માયાની પ્રથમસ્થિતિના પ્રથમ સમયે સંજવલન ૨ની સ્થિતિબંધ 2 માસ પ્રમાણ છે અને શેષ કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા વર્ષ પ્રમાણ છે. સંજવલન માયાની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા બાકી હોય ત્યારથી સંજવલન માયાની પતગ્રહતા નષ્ટ થાય છે. ત્યારથી અપ્રત્યાખ્યાનાવરણીય માયા અને પ્રત્યાખ્યાનાવરણીય માયાના
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy