SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ વાળારામને પુત્ર તેની હયાતીમાં જ દેશવટે ગયેલે. તે પાછો ફર્યો નહિ અને ઈ. સ. 875 લગભગ વાળારામ ગુજરી ગયે. તેથી ચંદ્રચુડે વંથલીનું રાજ્ય સ્વાધીન કર્યું અને તે ત્યાં રાજા થયે. ચંદ્રચૂડ સમા જાતિને યાદવ હતે. એ રીતે વલભીપુરના વિનાશ પછી 105 વર્ષે આ દેશની આવી સ્થિતિ રહી. કને જનું સામ્રાજ્ય અહીં સુધી ફેલાયું, પણ તેમને અધિકાર માત્ર નામને જ હતું. જેમ ઈતિહાસમાં થતું આવ્યું છે તેમ વલભીના પતન પછી દરેક સામત પિતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપી બેસી ગયે અને કેનેજનું રાજ્ય બળવાન હાઈ કદાચ ચડાઈ કરે તે બીકે તેમાંની આણ કબૂલ રાખી. આપણે જેમાં તે રાજ્યનાં નામે તે ઈતિહાસમાંથી મળ્યાં છે, પણ કેટલાયે એવાં રાજ્ય હશે કે જેનાં નામે પણ પ્રાપ્ત થતાં નથી. આ રાજ્ય પણ અંદર અંદર લડતાં અને પિતાનું વર્ચસ્વ અથવા વિસ્તાર વધારવા સતત પ્રયત્ન કરતા આ પરિસ્થિતિ એક સૈકા પર્યત ચાલી. આ સમયના ઈતિહાસ ઉપર અંધારની ઘેરી જવનિકા પથરાઈ છે, 1 યાદવની સમા એક શાખા હતી. તેઓ સમા કહેવાયા તે માટે ઘણું અનુમાને કરવામાં આવે છે. પણ ગીઝનીના યાદવ રાજા સામંત પાસેથી સુલ્તાનશાહે ગીઝની જીતી લીધું છે અને તે રાજ્યકુળ ભારતમાં આવ્યું ત્યારે પોતપોતાના પિતા ઉપરથી શાખ બનાવી લીધી. એ રીતે સામંત કે સામતના વંશજે સામા કે સમાં કહેવાયા; અને ચંદ્રચૂડ તે પછી તેની એક બળવાન શાખાને થાપક છે. તેથી તેના વંશજો ચુડાસમા કહેવાયા. સામતથી દશમી પેઢીએ લાખો ધુરાર થયું. તેણે નગર મહેણુ નામના સલાહકારના કહેવાથી “નગર સમાઈ વસાવી પિતાની જાતિનું નામ અમર કર્યું. આ નગર સમાઈ તે હાલનું “નગરઠઠ્ઠા. '
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy