SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ રજપૂત સમય 225 ગયાં. ગુરુએ આ પાપની સજા બદલ સમાધિ લીધી અને ચેલાએ નાગાર્જુનને લાવી ત્યાં નવું ગામ વસાવ્યું. તેનું નામ ઢાંક પાડયું. નાગાર્જુને આ સાધુની સહાયથી શાલિવાહનની રાણીને પલંગ સાથે બેલાવી અને તેના હાથમાં લક્ષ્મીને વાસ લેવાથી પિતાના મહેલની દીવાલ ઉપર હાથ ફેરવાવી તેને સોનાની બનાવી. રાણીએ શાલિવાહનને વાત કરી ત્યારે તે સૈન્ય લઈ ઢાંક ઉપર ચડ. નાગાર્જુને તેને હરાવ્ય; પણ શાલિવાહને પાછા ફરી નાગાર્જુનને માર્યો અને ઢાંક જીતી લીધું. એ પછીને ઇતિહાસ ક્રમશ: આ ગ્રંથમાં આગળ આપવામાં આવ્યું છે. રજપૂત સમયનો અંત : આપણે મોર્ય, શક, ગુપ્ત અને વલભી યુગે જોયા. પરદેશી અને પરધમી જાતિઓએ એક થઈ એક સંસ્કૃતિ સ્થાપી. ક્ષત્રિમાં હણો, ગૂર્જરે અને મૈત્રકે ભળ્યા અને રજપૂત જાતિ તેમાંથી વિકાસ પામી. ઈ. સ. ૭૭૦થી 1472 એટલે સાતસે વર્ષના સૌરાષ્ટ્રના ઈતિહાસના સમયને “રજપૂત યુગ” કહીએ તે ખેટું નથી. આ યુગમાં એક નૂતન સંસ્કૃતિને જન્મ થયે અને સામાન્ય જીવન વ્યવહારમાં પ્રબળ પરિવર્તન થયું. તેની સમીક્ષા આવશ્યક છે. બ્રાહ્મણ ધર્મ : કુમારિક ભટ્ટ, મંડનમિશ્ર અને ભગવાન શંકરાચાર્યના પ્રબળ પરિશ્રમના પરિણામે આ યુગના પ્રારંભમાં જ બૌદ્ધ ધર્મ પરાભવ પામે અને બોદ્ધ લેકેને સૌરાષ્ટ્રમાંથી જાકારે મ. લેકે પુનઃ આર્ય ધર્મ તરફ વળ્યા. બ્રાહ્મણને જય થ અને તેમણે પિતાનું વર્ચસ્વ સ્થાપી દીધું. વેદ વેદાંત ઉપનિષદોના ગ્રંથે ફરી વંચાવા માંડયા. વડનગરના વેદપાઠી બ્રાહાણેએ વિદ્યા તથા જ્ઞાનનો ફેલાવો કર્યો, ભાવ બૃહસ્પતિ અને પંડિત નાનક જેવાએ પ્રભાસમાં વિદ્યાને પ્રચાર કર્યો. પાઠશાળાઓ અને વિદ્યાલયે સ્થપાયાં. રાજાએએ તેને આશ્રય આપે. રાજકુમારના શિક્ષકે બ્રાહ્મણે થયા અને તેમને શાસ્ત્રનું જ્ઞાન આપવા માંડયું. તે સાથે ભાગવત અને પુરાણેને પણ પ્રચાર વળે. વિદ્યા માત્ર બ્રાહ્મણ પાસે રહી. આમજનતાને સંસ્કૃતિનું કે શાસ્ત્રનું જ્ઞાન ન હતું. તેથી બ્રાહ્મણેએ પોતાની ઉદરપૂર્તિ માટે જે જે કહ્યું કે તે તેણે માની લીધું. ધર્મને નામે વહેમને ફેલાવે થે. માનતાઓ માનવી, શ્રાદ્ધ કરવાં, તીર્થસ્થાનમાં સ્નાન કરવું, 1. શાલિવાહન કેણ? ચક્રવર્તી શાલિવાહન ઇ. સ. ૭૮માં થય. જેસલમીરને શાલિ . સ. ૧૬૬૮માં થયો. મેવાડના રાજા શાલિવાહન ઈ. સ. 1000 લગભગ થયો. એટલે આ વાર્તા માની લેવાની જ રહે છે. જેસલમીરના ભદ્દી કે મેવાડના ગુહિલોએ ચડાઈ કરી હોવાનું જાણવામાં નથી. વળી, ઈ. સ. ૧૦૦૦માં જેઠવાની ગાદી ઉપર વનવીરજી, નગજણછ કે ભાણજી હશે. કેદ શાલિવાહન નામને નામે રાજા હોય તે કહી શકાય નહિ. 29
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy