SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ સાસાઇટીનું મકાન * A man's House is his castle '' ( Proverb ) "A building fitted accurately to answer its end will turn out to be admirable. ' (Moller ) હિમાભાઈ ઇન્સ્ટીટયુટનું મકાન બંધાઇ તૈયાર થયું ત્યારથી તેની પૂર્વ બાજુના ભાગમાં સેાસાઈટીનું કાર્યાલય રાખવામાં આવ્યું હતું; અને તે ભાગ એના કબજા ભાગવટાના હતા; એટલુંજ નહિ પણ સેાસાઈટીના ચેપડે એ ભાગની મિલ્કતની કિંમત રૂ. ૨૦૦૦) હિસાબમાં જુદી ખતાવવામાં આવતી હતી. પણ વખતના વહેવા સાથે સાસાઈટીનું કામકાજ દિન પ્રતિદિન વધતું જતું હતું અને એ મકાનમાં સંકડાશ માલુમ પડતી હતી અને સાસાટીનાં પુસ્તકોને રટોક રાખવા સારૂ તે એક જુદું ડહેલું. ભાડે રાખ્યું હતું. આ પરિસ્થિતિમાં આન. સેક્રેટરી રા.સા. મહીપતરામનું મોટું આઈલ પેઈન્ટીંગ, એમના અવસાન ખાદ સ્મારક રૂપે સાસાઈટીની સામાન્ય સભાએ સ્ટીટયુટના મધ્યસ્થ હાલમાં મૂકવાના ઠરાવ કર્યાં હતા, તે પરત્વે ઈન્સ્ટીટયુટની વ્યવસ્થાપક કમિટી અને સેાસાઇટીના સંચાલકો વચ્ચે સહજ મતભેદ પડયે; તે કે પછીથી તેનું સાષકારક સમાધાન થયું અને એ તેલ ચિત્ર હિમાભાઈ ઇન્સ્ટીટયુટમાં મૂકાયું પણ ખરૂં. પરંતુ લાલશ કરભાઇ જેએ મહીપતરામના મૃત્યુ પછી સાસાટીના એન. સેક્રેટરી નિમાયા હતા તેમને લાગ્યું કે સોસાઇટીને તેનુ ં એલાયદું અને સ્વતંત્ર મકાન હાવું જોઇએ; અને તુરત તેમણે તે માટે તજવીજ કરવા માંડી. સન ૧૮૯૩ ના ડિસેમ્બર માસમાં પાલનપુરના નામદારશ્રી દીવાન મહાખાન શ્રી શેર મહમદખાનજીનું અમદાવાદમાં પધારવાનું થતાં, સાસાઈટી તરફ્ટી એએ નામદારને એક માનપત્ર એનાયત કરવામાં આવ્યું અને એ પ્રસ ંગના લાભ લઇને લાલશ કરભાઇએ સાસાઈટીના નવા મકાન માટે ટીપ શરૂ કરતાં તેમાં લાગલાજ રૂ. ૨૭૭૬ ભરાઈ ગયા હતા.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy