SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પુષ્કળ આવતું હતું. સાસાઇટી તરફથી નવા નિબંધ અને પુસ્તકો લખાવવામાં આવતાં તે તૈયાર થઈ આવ્યા બાદ કમિટીના સભાસદોમાં સામાન્ય રીતે અભિપ્રાય સારૂ મોકલી અપાતાં; અને ઉત્તેજન માટે પુસ્તકા આવતાં તેની વ્યવસ્થા પણ એજ પ્રમાણે કરવામાં આવતી. ભેાળાનાથભાઈ પાસે જે પુસ્તકા જતાં તે વિષે તેઓ ચાકસાઈથી અને કાળજીપૂર્વક શેરા કરતા. આ પ્રમાણે અભિપ્રાયવાળા ઘણા કાગળા સાસાઈટીન દફતરમાં છે અને તેમાંના એના ઉપયાગ વેણી મહારના ભાષાંતર વિષે અને પ્રાચીન હાથ પ્રતાની ખરીદીના સંબંધમાં પ્રકરણ ૨ અને ૫ માં કર્યાં છે.× સન ૧૮૭૪ માં નાકરીમાંથી નિવૃત્ત થઈ અમદાવાદમાં આવી રહ્યા બાદ એમના ઘણાખરા સમય નવી સ્થાપેલી પ્રાથના સમાજના કામકાજમાં વ્યતિત થતા. તાપણુ એમની આસપાસ આગેવાન અને સંસ્કારી કા કર્તાઓ અને વિદ્વાનાનું મંડળ જામેલું રહેતું; અને એ કાળે જનસુધારણાની, કેળવણીની, સાહિત્યની કે ધર્મ વિષયક જે કાઈ હિલચાલ કે પ્રવૃત્તિ ઉપસ્થિત થતી, તેમાં ભાળાનાથભાઇના હાથ હાય, હાય ને હાયજ; વળી મહીપતરામભાઇએ પરદેશગમન કર્યું, ત્યારે ભેાળાનાથેએમની પડખે ઉભા રહીને એમને આશ્વાસન અને ઉત્તેજન આપ્યું હતું. પ્રાર્થના સમાજના તેઓ ડાબા જમણા અંગ રૂપ હતા અને એમનું એ તાદાત્મ્ય સાસાટીના કામકાજમાં પણ નજરે પડતું. મહીપતરામ સાસાઇટીના આન. સેક્રેટરી હતા અને એમના તે કા માં ભેાળાનાથભાઈ બહુ મદદગાર થતા. એમના એ મમત્વને લઇને ભેાળાનાથભાઈના સુપુત્રા પણ સેાસાઇટીની કાઈને કાઈ રીતે સેવા કરવા ઉત્સુક રહેતા. એમના જ્યેષ્ઠ પુત્ર ખાબારાવ વિદ્યાભ્યાસક મડળીના મંત્રી હતા અને એમની એ મ`ડળીની ઉત્તમ સેવા બદલ તેઓ મુંબાઈ જતાં તેમને એક માનપત્ર આપવામાં આવ્યું હતું, એ હકીકત પહેલા વિભાગમાં નોંધાયલી છે. ખીજા પ્રકરણમાં સાસાઈટી તરફથી પ્રસિદ્ધ થયલાં પુસ્તકાની સમાલોચના કરતાં આપણે જોયું હતું કે એમના ત્રીજા પુત્ર ભીમરાવે કાલા રચિત “ How to develop the resources of India " । ગુજરાતીમાં તરજુમા કરી આપવા ખુશી દર્શાવી હતી અને કૃષ્ણરાવે બંગાળી પરથી નારી શિક્ષા ભા. ૧ અને ભા. ૨ લખી આપ્યા હતાં, તેના ઉલ્લેખ પૂર્વે થઈ ગયા છે. '' * જુએ ગુ. વ. સેાસાઇટીનેા ઇતિહાસ, વિભાગ ૨, પૃ. ૫૦ અને રૃ. - તુએ મરણ મુકુર, પ્રકરણ ૨. * ગુ. વ. સેસાઇટીના ઇતિહાસ, વિભાગ ૧, પૃ. ૧૩૯,
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy