SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ : ચાલતી તેથી તે કદી પિતાનું મન બીજાને આપતે નહિ. ધર્મ તે કાલ્વિનને : ચુસ્ત પક્ષપાતી હતા. તે એમ માનતા કે ભવિષ્યમાં પિતાને હાથે કઈ એક મોટું કામ થવાનું છે. પણ પહેલેથી જ તેનું નસીબ વળવા માંડ્યું. દસ વર્ષની ઉંમરે તેની મા મરી ગઈ ને તેની જાગીર (રેજનું પરગણું) લૂઈએ ખાલસા કરી. હોલડની પાર્લમેટે તેની વંશાનુગત પદવી કાઢી નાખી. પણ લૂઈએ જ્યારે ઈ. સ. ૧૬૭૨માં હૈલંડ ઉપર સવારી કરી ત્યારે વિલિયમને લોકેએ સ્ટેટ હેલ્ડર–મુખ્ય રાજ્યપુરુષ–બનાવ્યો. તેણે લૂઈનાં લશ્કરને દેશબહાર કાઢી મૂક્યાં તેથી લેકે તેના પર ખુશ થઈ ગયા. ઈ. સ. ૧૬૭૭માં તે જેઈમ્સની પુત્રી મેરિને પર એટલે ઈંગ્લડનાં રાજ્યતંત્ર ઉપર તે વિશેષ ધ્યાન આપવા લાગે. ઈ. સ. ૧૬૮૮ સુધી તે ખાસ કાંઈ કરી શકે નહિ. એ વર્ષે તેને, ઉપર જણાવ્યું તેમ, ઇંગ્લંડના આંતર કારભારમાં દરમ્યાન થવાની તક મળી, ને તે તકને પૂરે લાભ લઈ તેણે ઈંગ્લંડને જેઈમ્સના નિરંકુશ તંત્રથી ને યુરોપને લૂઈના એકચક્રી સામ્રાજ્યવાદથી બચાવ્યાં. ત્રીજા વિલિયમના ગુણદોષ–વિલિયમ સારો મુત્સદી, દુરંદેશી રાજપુરુષ, બાહોશ સિપાઈને સરદાર હતો. તેણે જિંદગીભર ફાંસના લૂઈ સામે લડાઈને મેદાન ઉપર અથવા સુલેહની પરિષદમાં લડયાં કર્યું. ઈગ્લેંડને તેણે તે લડાઈમાં મેખરે કર્યું ને તેથી તેને ઘણે લાભ અપાવ્યું; પણ ઈંગ્લંડને તે પરદેશ ગણુત ને અંગ્રેજે પણ તેને હંમેશાં પરદેશી તરીકે જ લેખતા. તે માટે બુદ્ધિવાન, ઉધમી, ઉપ જવામાં કુશળ, ને દૂરદર્શી રાજા થઈ ગયો. તેણે કદી ઈગ્લેંડનું અહિત કર્યું નહિ; પણ અંગ્રેજોની - આંતર તકરારે ને ખટપટને તે ધિક્કારતે; અંગ્રેજ રાજ્યવહીવટને તે બરોબર સમજી શકતા નહિ; તે રાજકારભારમાં પટેલંડ ને બેટિક જેવા પરદેશી મિત્રને રોક્ત તે અંગ્રેજોને ઘણું ખુંચતું; લંડનથી તે દૂર રહેત; વારંવાર તે ઈગ્લેંડની બહાર જતે; આ બધું લોકોને જરા પણ ગમતું નહિ. તે હંમેશાં માં રહેત; તેને દમનું દરદ લાગુ પડયું હતું; ધર્મ તે કાલ્વિનના મતને
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy