________________
કિરચંદભાઈનો પરિવાર બે દિવસ શંખેશ્વરમાં રોકાયો અને શ્રી મહાદેવા પાર્શ્વનાથની ભક્તિના ગીતો ગાતા વઢવાણ પાછો ફર્યો.
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં મહાદેવા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મહાદેવા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મહાદેવા પાર્શ્વનાથાય નમ:
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. જાપ કરતી વખતે બાજોઠ પર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. જીવનમાં ખુશીની લ્હેર દોડવા લાગે છે.
સંપર્કઃ શ્રી મહાદેવા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ
| ખેતરવાસી, મુ.પો. પાટણ જી. તા. પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૯૫ ફોન : (૦૨૭૩૬૬) ૨૨૫૨૪૧
શ્રી મહાદેવા પાર્શ્વનાથ
૬૦.