SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કિરચંદભાઈને શંખેશ્વરના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. રાધાબેન પણ શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુની રોજ માળા - આરાધના કરતાં હતાં. કોઈપણ વિપદા આવે ત્યારે બન્ને શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરી લેતા અને તરત જ વિપદા ટળી જતી. સાતમ આઠમના દિવસોમાં શિરીષ અને દીપકનો પરિવાર સુરેન્દ્રનગરમાં યોજાયેલો મેળો જોવા ગયા ત્યારે કિરચંદભાઈ અને રાધાબહેને ખાસ શિખામણ આપી હતી કે બન્ને બાળકોનું ખાસ ધ્યાન રાખજો. વહેલા પાછા આવી જજો. શિરીષ, રેખા, દીપક તથા આરતી અને બન્નેના બાળકો સાથે સુરેન્દ્રનગર રીક્ષામાં બેસીને આવ્યા. સીધા મેળાના મેદાનમાં આવ્યા. સાતમ-આઠમના તહેવારના કારણે મેળામાં ભારે ભીડ હતી. શિરીષે રેખાને કહ્યું : ‘તું વંદનને બરાબર સાચવજે, તે જરા તોફાની છે. મેળામાં ભારેભીડ છે. આડોઅવળો ન થઈ જાય...’ રેખાએ કહ્યું : ‘હું એને જીવની જેમ જ પકડી રાખીશ...તમે ચિંતા કરશો નહિ...' સૌ મેળામાં અંદર પ્રવેશ્યા. ભારે ભીડ હતી. શિરીષ અને દીપકનો પરિવાર મેળામાં ઘૂમવા લાગ્યો. ત્યાં વંદનની નજ૨ રમકડાંના સ્ટોલ પર રહેલી એક મોટી પિસ્તોલ પર ગઈ. તેણે કળકળાટ શરૂ કર્યો અને તે દુકાન પર જવા દેકારા કરવા લાગ્યો. ત્યારે શિરીષે કહ્યું : ‘વંદન, આપણે પાછા ફરીશું ત્યારે તારા માટે પિસ્તોલ લઈ લેશું..... ના....મારે અત્યારે જ પિસ્તોલ જોઈએ છે...' વંદન રડતાં રડતાં બોલ્યો. રેખાએ કહ્યું : ‘આ માને તવો નથી. એનો સ્વભાવ જીદ્દી છે તે તો તમે જાણો છો.' ‘હા...પણ પાછા ફરીશું ત્યારે લઈ લેશું...' શિરીષે કહ્યું. સૌ આગળ વધવા લાગ્યા ત્યારે રેખાની નજર ચૂકવીને વંદન છટકી શ્રી મહાદેવા પાર્શ્વનાથ ૫૮
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy