SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વૃક્ષની નીચે શ્વેત સર્ષ નૃત્ય કરતો જોવા મળશે અને ત્યાંજ મોતીનો સાથિયો જોવા મળશે ત્યાં ખોદવા જણાવ્યું. રવચંદે યક્ષરાજના કથન મુજબ સરોવરના કાંઠે અશોકવૃક્ષની નીચે શ્વેત સર્પ અને મોતીનો સાથિયો જોયો. તે આનંદિત થયો અને ત્યાં ખોદકામ કરતાં રવચંદ શેઠને શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની વેળુની નયનરમ્ય પ્રતિમાજી અને હીરા-માણેકની ખાણ પ્રાપ્ત થઈ. રવચંદ શેઠનો હરખ માતો નહોતો. તેણે પરમાત્માને રથમાં બિરાજમાન કર્યા. અને નગરીમાં લાવ્યો. મહામહોત્સવ ઉજવીને પોતાના ઘરમાં પ્રભુજીને પધરાવ્યા. હીરા-માણેકની ખાણ દ્વારા રવચંદ શેઠને અઢળક સંપત્તિની પ્રાપ્તિ થઈ. રવચંદ શેઠનું જીવન સમૃધ્ધ થઈ ગયું. એકવાર યક્ષરાજની સૂચના થતા રવચંદ શેઠે નગરીમાં ભવ્ય જિનાલય બંધાવ્યું. વિ.સં. ૧૫૩૫ના વૈશાખ સુદ-૩ના મહામંગલ દિને પરમાત્માને જિનાલયમાં પ્રતિષ્ઠિત કર્યા. આ ચંદ્રાવતી નગરી આજે ચાણસ્મા તરીકે ઓળખાય છે. વીશા શ્રીમાળી જ્ઞાતિની એક પ્રાચીન વંશાવલી અનુસાર જયતા નામના એક શ્રેષ્ઠીવર્યે પોતાનું ગામ નરેલી છોડીને શ્વસુરના ગામ ચાણસ્મામાં નિવાસ કર્યો. અને તેણે ત્યાં શ્રી ભટેવા પાર્શ્વનાથનું જિનાલય અચલગચ્છના આચાર્ય ભગવંત શ્રી અજિત સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી બંધાવ્યું અને સંવત ૧૩૩૫માં પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો. આથી ચાણસ્મા શ્રી ભટેવા પાર્શ્વનાથ તીર્થ વધુ પ્રાચીન હોવાની વાતનું સમર્થન કરે છે. વિક્રમ સંવત ૧૬૪૧ના ભયંકર દુષ્કાળમાં આ મૂર્તિની સુરક્ષા ચામસ્મામાં અશક્ય જણાતાં શ્રી સંઘે પાટણના મહેતા પાડામાં રહેતા નગરશેઠ રતનશાહના ઘર - દેરાસરમાં સુરક્ષા અર્થે મુકાવી. દુષ્કાળનો સમય પસાર થઈ જતાં અને 0. શ્રી ભટેવા પાર્શ્વનાથ ૫૦
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy