SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ પોતાના પુત્ર ગુણસાગરના દેહ પર છાંટતાં તમામ વ્યાધિ ક્ષણ માત્રમાં નષ્ટ થઈ ગયા. આ અજોડ ચમત્કારથી શ્રી ભટેવા પાર્શ્વનાથનો મહિમા સર્વત્ર માલતીપુષ્પની સૌરભ માફક પ્રસરી ગયો. રાજા ભૂધરે પોતાનો નિરોગી પુત્ર ગુણસુંદરને ઉંમરલાયક થતાં તેને રાજગાદી સોંપી અને પોતે ધર્મમય જીવન પસાર કરવા લાગ્યો. છેવટે તેનું સમાધિપૂર્વક મૃત્યુ થયું. રાજા ગુણસુંદરે જિન શાસનની આરાધના સાથે રાજ્યનો કારભાર સંભાળ્યો. અંતે અનશન કરીને તે પણ સમાધિપૂર્વક મૃત્યુ પામીને દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયો. શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુના મહિમાવંત પ્રસંગને ૫,૨૪,૮૦૦વર્ષ પસાર થઈ ગયા, ત્યારે ભટેવા નગ૨માં એક અલૌકિક પ્રસંગ બન્યોં. ભટેવા નગ૨માં સુરચંદ નામનો એક વણિક પુત્ર રહેતો હતો. પૂર્વના કોઈ કર્મોને કા૨ણે તે ભારે નિર્ધનતા ભોગવતો હતો. તે પોતાનું જીવન કંગાળ અવસ્થામાં પસાર કરતો હતો. તે જીવનથી ભારે દુ:ખી હતો, પરંતુ ધર્મ પ્રત્યેની આસ્થા જળવાઈ રહી હતી. એકવાર તેને સુરસુંદર નામના મુનિનો ભેટો થયો. સુરચંદે મુનિને પોતાની હાલતનો ચિતાર આપ્યો ત્યારે મુનિએ અંતરાય કર્મને નિવારવા પૌષધ્વત સાથે પદ્માવતી દેવીની આરાધના કરવા સૂચવ્યું. સુરચંદે મુનિના કથન મુજબ પૌષધવ્રત કર્યું. અને પદ્માવતી દેવીની હૈયાના ભાવ સાથે આરાધના કરી. પદ્માવતી દેવીએ તેને શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ સાથે અઠ્ઠમ તપ કરવાનું સૂચવ્યું. સૂરચંદે અઠ્ઠમ તપની આરાધના આરંભી. પૂર્વે દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકેના ગુણસુંદરના જીવે દેવલોકમાં રહીને સુરચંદની શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અવધિજ્ઞાન માંડીને નિહાળી. તે દેવાત્મા સુરચંદની અનેરી ભક્તિથી પ્રસન્ન થયો. સુરચંદના પ્રબળ અંતરાયોને વિખેરવા પોતાના વિમાનમાંથી શ્રી ભટેવા પાર્શ્વનાથની વેળુની દિવ્યતા ધરાવતું બિંબ લાવીને આપ્યું. શ્રી ભટેવા પાર્શ્વનાથજીની પ્રતિમાની પ્રાપ્તિથી સુરચંદના હરખનો પાર ન શ્રી ભટેવા પાર્શ્વનાથ ૪૮
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy