________________
તોડે ભવ પાસ લંછન જાસ...૧ નવ હાથની કાય
આશા પૂરે પ્રભુ પાસજી, વામામાતા જનમીયા અહિ અશ્વસેન સુત સુખ કરૂં, કાશીદેશ વારાણસીએ, પુન્યે એકસોવ૨સનું આયખું પાડી પદ્મ કહે મુગતે ગયા, નમતા સુખ નિરધાર..૩
પ્રભુજી
પાય....૨
પાર્શ્વકુમાર
જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટકર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી...૧ પ્રભુ નામે આનંદકંદ, સુખ સંપત્તિ લહીએ, પ્રભુ નામે ભવભવ તણા, પાતિક સવિ દહીએ...૨ ૐ હ્રીં વર્ણ જોડી ક૨ી, જપીએ પારસ નામ વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ધામ....૩
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી મક્ષી પાર્શ્વનાથ } })
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
શ્રી મક્ષી પાર્શ્વનાથ
૩૫