________________
૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. અહીં શ્રી પદ્માવતી દેવી ની પ્રતિમાજી બિરાજમાન છે.
પદ્માવતી માતાજીની સ્તુતિ
પદ્માવતી, ભગવતી મૂર્તિ નિહાળી, આનંદમંગળ ભયો સવિ દુઃખ ટાળી, અદ્ભુત જ્યોતિ ઝલકે નયને તુમારી, વંદુ સદા સુખકરી જયકાર કારી..૧
ભદ્રાસના ચઉકરા ફણિ ધારનારી, સર્વોપરિ સ્થિતિ કરી સુપ્રભાવશાલી, ધરણેન્દ્ર અગ્ર મહિષી જગ શોભનારી, શ્રીપાર્શ્વ ભક્ત જનના અધ કાપનારી...૨
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં પદ્માવત્યે નમઃ ।
(૨) ૐૐ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાચ્છાપૂર્તિ ઋધ્ધિ સિધ્ધિ જયં જયં જયં કુરુ કુરુ સ્વાહા. I
(૩) ૐૐ હ્રીં શ્રÆ પદ્માવત્યે નમઃ ।
(૪) ૐૐ હ્રાઁ પદ્માવતી દેવિ ત્રૈલોક્ય વાર્તા કથય કથય સ્વાહા
ઉપરોક્ત મંત્રો અત્યંત પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે અથવા રાતે ૧૦ વાગ્યા પછી મંત્ર જાપ ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવા. ઉપરોક્ત મંત્રો સુખ-સમૃધ્ધિ અને માનસિક ચિંતાને નષ્ટ કરનારા છે. જીવનને આનંદમય અને મંગલમય બનાવનારા મંત્રો છે.
શ્રી પદ્માવતી દેવી
૨૭૮