SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ખાઈએ પણ તે નુકસાનકારક નથી હોતી પરંતુ સાત્વિકતા આવે છે. જ્યારે અન્ય પદાર્થો વધુ પડતાં આરોગવાથી વિકૃતિ પેદા થતી હોય છે. આ. શ્રીમદ્ વિજય બુધ્ધિસાગરસૂરીજી મ. આચાર્ય શ્રીમદ્ વિજય બુધ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજાનો જન્મ વિજાપુર શહેરમાં પાટીદાર કુળમાં થયો હતો. પાટીદાર હોવા છતાં નાનપણથી જ જૈન ધર્મનો અભ્યાસ તથા સંસ્કારોના કારણે દીક્ષા લઈ ૧૦૮ ગ્રંથોની રચના ૨૫ વર્ષના અલ્પકાળમાં કરી પૂ. શ્રી રવિસાગરજી મહારાજ તથા પૂ. શ્રી સુખસાગરજી મહારાજનો પારસ સ્પર્શ મળતાં તેઓ જૈન જ્યોતિર્ધર યોગનિષ્ઠ આધ્યાત્મિક પુરુષ બની ફક્ત જૈનોજ નહિ પરંતુ અઢારે આલમને સુવાસિત કરી તેમણે ૨૭માં વર્ષેદીક્ષા લઈ ૩૯માં વર્ષે આચાર્ય પદવી પ્રાપ્ત કરીને તૃતીયપદના ભોક્તા બન્યા. ચતુર્વિધ સંઘ પર અનેક રીતે મહાન ઉપકાર કર્યો. સમ્યગ દૃષ્ટિ દેવશ્રી ઘંટાકર્ણ મહાવીરને પ્રત્યક્ષ પામીને મહુડીમાં તેમની મૂર્તિની સ્થાપના કરી તેઓશ્રીની તેજસ્વી સાધના તથા દીર્ઘ દૃષ્ટિથી આપેલા ઉપદેશ તથા જ્ઞાન શાસન માટે મહા ઉપકારી બનેલ છે. આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીજી મહારાજ નાનપણથી જ ઘંટાકર્ણ વીરના ઉપાસક હતા. સંવત ૧૯૭૫માં શ્રી પદ્મપ્રભુ સ્વામીની પ્રતિષ્ઠા કરાવવા મહુડીમાં પધાર્યા ત્યારે અઠ્ઠમ તપ કરી ઉગ્ર ઉપાસના કરી હતી. શ્રી ઘંટાકર્ણ મહાવીરના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા. જૈન ધર્મીઓને તેમજ મનુષ્ય માત્રને સુકાર્યમાં સહાયતા કરવા માટે બોધિત કર્યા અને વચન મેળવી લીધું કે તેઓએ જૈનો કે કોઈપણ ભક્ત મનુષ્યો તેમની ભક્તિ કરી સહાયતા ઈચ્છે તો સહાયતા આપવી. તેઓએ જે વૈક્રિય શરીરધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનું દર્શન કર્યું હતું. તેનું સુરેખ ચિત્ર કોલસાથી દોર્યું અને માત્ર બારજ દિવસમાં પોરબંદરી પથ્થરમાંથી બે શિલ્પીઓ શ્રી ઘંટાકર્ણવીર ૨૬૨
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy