SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ્ધાંતોને નિહાળતો હોય, અહિંસાના સુક્ષ્મમાં સુક્ષ્મ સ્વરૂપને પણ ઓળખતો હોય, વનસ્પતિનું એક પાંદડું તોડવામાં પણ હિંસા સમજતો હોય, તે ધર્મનો રક્ષક શ્રી ઘંટાકર્ણદેવ હાથમાં તીરકામઠું ચઢાવી હર હંમેશ સજાગ રહે એ કેવું? . જ્યારે કોઈપણ ધર્માત્મા આધિ-વ્યાધિ અને ઉપાધિમાં હોય ત્યારે દેવદેવીઓ તેઓનું રક્ષણ કરે છે. કોઈ એક ધર્મી વ્યક્તિ માટે જ નહિ પરંતુ સમગ્ર ધાર્મિક પ્રજા ઉપર કોઈપણ પ્રકારે આધિ, વ્યાધિ, ઉપાધિ કે કુદરતી પ્રકોપ પેદા થાય છે પછી અસામાજીક તત્ત્વો દ્વારા ઉપદ્રવ પેદા થાય ત્યારે આ દેવદેવીઓ એક પ્રકારની ઢાલ બની રક્ષણ કરતાં હોય છે. એવું જ શાસન રક્ષક શ્રી ઘંટાકર્ણ દેવની બાબતમાં શાસન રક્ષક દેવ પોતાના રાજ ચિન્હો દ્વારા રક્ષણ કરતાં હોય છે. તેઓ તીર ખેંચીને ઊભા છે ખરા, પરંતુ તેઓએ નિશાન નથી બનાવ્યા. તેઓ ઊભા છે તીર તાકીને, પરંતુ તેઓની નજર આપણી સામે છે. | ભાથામાં ચાર તીર રહેલાં છે તેને ચાર કષાય ચાર ગતિ કહેવામાં આવે છે. ચાર કષાય પર વિજય મેળવીને ચાર ગતિ છેદી પંચમગતિ પામવા ત્રિશુલધારી તીર પણછ પર ચઢાવેલું છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર કહે કે જ્ઞાન દર્શન અને ચારિત્રની સંપૂર્ણ આરાધના દ્વારા પંચમગતિ પામો. શ્રી ઘંટાકર્ણ મહાવીરની કમરે તલવાર અને ઢાલ છે. માનવીને અધોગતિના માર્ગે લઈ જનાર ભવરૂપી અરણ્યમાં રઝળાવનાર અંતરંગ શત્રુઓ લોભ, મોહ, અભિમાન, માયા વગેરે શત્રુઓનો નાશ કરવા માટે છે. નવકાર મહામંત્રના પહેલા પદ “નમો અરિહંતાણંને સાકાર કરે છે. દુશ્મન શત્રુઓનો નાશ કરનારને નમું છું એવો આનો અર્થ થાય છે. અહીં શત્રુઓ ઉપર વિજય પણ અહિંસાના અમૂલા શસ્ત્ર દ્વારા જ મેળવી શકાય. જૈન ધર્મ અને શાસન રક્ષક દેવની આ વાણી છે. - શ્રી ઘંટાકર્ણ મહાવીરે માત્ર તલવાર જ ધારણ કરી નથી, પરંતુ સાથે સાથે ઢાલ પણ ધારણ કરેલી છે. ગમે તેટલા પ્રહારો કરવામાં આવે પરંતુ કાચબાને તેની કશી અસર થતી નથી, એ રીતે સંસાર રૂપી સમુદ્રમાં ભવરૂપી આભાઓએ તરવા શ્રી ઘંટાકર્ણવીર ૨૬૦
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy