________________
શ્રી માણિભદ્રવીરની આરતી જય જય આરતી માણિભદ્ર ઈન્દ્રા, બાવનવીર શિરમુગટ જડીદ્રા તપગચ્છ અધિષ્ઠાયક વિખ્યાતા, અતિય વિઘન દુઃખ હરા વિધાતા તુમ સેવકના સંકટ ચૂરો, મન વાંચ્છિત સુખ સંપદા પૂરો બગડ ત્રિશુલ ડમરૂં ગાજે, મૃગદલ અંકુશ નામ બિરાજે ષટ ભુજા ગજ વાહન સુંદર, લોઠી પોશાળ સંઘ વૃધ્ધિ પુરંદર. વિનવે શ્રી આણંદ સોમસૂરિધીર, આશાપૂરો મગરવાડીયા વીર. આશા પૂરો ઉજ્જનીઆ વીર. આશા પૂરો આગલોડીઆ વીર.
મંત્ર આરાધના (૧) ૐ નમો ભગવતે માણિભદ્રાય ! (૨) ૐ હ્રીં શ્રીં ભગવતે શ્રી માણિભદ્રાય હ્રીં શ્રીં કણકણ કલ ફ ફર્ સ્વાહા! (૩) અસિઆ ઉ સા નમઃ શ્રી માણિભદ્ર દિશતુ મમ સર્વ કાર્યેષુ સિદ્ધિા
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની આરાધના કરવાથી શ્રી માણિભદ્રવીરની કૃપા પ્રાપ્ત થાય છે. અનન્ય શ્રધ્ધા અને ભક્તિથી મંત્ર જાપ કરવા. સવારે કે રાત્રે નિશ્ચિત સમયે આરાધના કરવી. ધૂપ-દીપ જાપ દરમ્યાન અખંડ રાખવા. ત્રીજો મંત્ર સર્વકાર્યની સિધ્ધિ માટેનો છે.
શ્રી માણિભદ્ર વીર
૨૩૭