SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનનો તેજસ્વી તારલો આચાર્ય પૂ. શ્રી સુબોધસૂરીજી મ. પ્રખર પ્રવચનકાર, જૈન શાસ્ત્રોના ઊંડા અભ્યાસી આ.ભ.પૂ.શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજા તે ગચ્છાધિપતિ આ.ભ.પૂ. પ્રેમસૂરિશ્વરજી મહારાજાના મોટાભાઈ થતા હતા. સમસ્ત જૈન શાસનમાં બાંધવ બેલડી તરીકે જાણીતા હતા. બન્નેના ચાતુર્માસ પણ સાથે જ રહ્યાં હતા. બન્નેના ગુરૂદેવ આ.ભ.પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજા હતા. આચાર્ય ભગવંત પૂ. શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજનો જન્મ વિ.સં. ૧૯૭૨ના વૈશાખવદ - ૭ ના સણવાડ - મેવાડ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપભાઈ અને માતાનું નામ રતનબેન હતું. તેમનો બાલ્ય ઉછેર મહેસાણામાં થયો. સંવત ૧૯૮૭માં આચાર્ય ભક્તિસૂરીશ્વરજી મહારાજ ત્યારે પંન્યાસજી હતા. તેઓનું ચાતુર્માસ મહેસાણામાં થયું હતું રતનબેન ત્યારે પોતાના બન્ને પુત્રો શેષમલ તથા પન્નાલાલને લઈને વ્યાખ્યાન શ્રવણ કરવા માટે આવતાં હતા. ત્યારે પન્નાલાલમાં વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ અને પં. ભક્તિવિજયજી મહારાજ પન્નાલાલમાં વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ અને પં. ભક્તિવિજયજી મહારાજ પન્નાલાલના ચહેરા પરથી જાણી ગયા કે આ બાળક જૈન શાસનનો તારલો બનશે. પન્નાલાલે અગિયાર વર્ષની ઉંમરે પ્રવજ્યા ગ્રહણ કરી. તેમણે અમદાવાદમાં આગમોધ્ધારક આ.ભ. પૂ. શ્રી સાગરાનંદસૂરીજી પાસે દીક્ષા લીધી ત્યારે એ પ્રસંગમાં રતનબેન અને મોટો પુત્ર શેષમલ પણ હાજર હતા. એ સમયથી તેમને પણ દીક્ષા લેવાની ભાવના થઈ હતી પરંતુ પરિવારમાં શેષમલ મોટા હોવાથી રતનબેને તત્કાળ રજા ન આપી અને લગભગ એકાદ વર્ષ પછી રજા આપી. ' આમ શેષમલજીએ પરિવાર તથા શ્રી મહેસાણા જૈન સંઘની અનુમતિ મેળવીને સંવત ૧૯૮૮ના પોષ વદી-૧ ના વીરમગામ ખાતે પ્રવજ્યા અંગીકાર કરી અને મુનિ સુબોધવિજયજી બન્યા. સંવત ૧૯૮૮ બાદ મુનિશ્રી પ્રેમવિજયજી અને મુનિશ્રી સુબોધવિજયજી શ્રી સુબોધસૂરીજી મ. ૨૨૪
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy