________________
તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ, પ્રાતઃ સ્મરણીય
૫.પૂ. આચાર્યદેવ
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
પ્રાતઃ સ્મરણીય, પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, પરમવંદનીય આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા એક એવું વિરાટ વ્યક્તિત્વ છે કે, હજારો વર્ષે ક્યારેક જ એવું વિરલ વ્યક્તિત્વ સદેહે પૃથ્વી પર વિચરતું જોવા મળે.
આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ એટલે જૈન શાસનના નભોમંડળમાં શુક્ર સમાન ચમકતો સિતારો. પૂજ્યશ્રીનું ગૌર વર્ણ, તેજસ્વી ભાલ, નીલ કમલ જેવી આંખો, પરમ વાત્સલ્યના ક્ષીર-સાગર, ગંભીર અને શાંત શીતલ આલ્હાદક દૃષ્ટિ, ચમકતી ચાંદની જેવા ગાલ, કમલપત્ર જેવા હોઠ, અને કંધૂ (નામના) શંખ જેવી ગરદન, સર્વ મળીને આ વ્યક્તિત્વ એવું સુંદરતમ છે, કે જે જોતાં જ એક ૫૨મ આદરણીય, આદર્શ, ધર્મ-મહાપુરુષની છબી સંપૂર્ણ રીતે ઉપસી આવે.
પ.પૂ. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા એક પહોંચેલા સિધ્ધપુરુષ, માનવતાના મસીહા, ધૂરંધર ધર્મગુરૂ, અનુભૂતિ સંપન્ન, આત્મજ્ઞાની, વિશિષ્ટ વ્યવહાર કુશળ, સુજ્ઞ સમયજ્ઞ, પ્રતિભા સંપન્ન પ્રાજ્ઞ, વિલક્ષણ વ્યક્તિત્વ, વિખ્યાત વચન સિધ્ધ, પ્રખ્યાત પુણ્ય પ્રભાવી, પ્રસિધ્ધ પ્રવચનકાર, મહિમાવંત પુરુષ, પરમ શાસન પ્રભાવક, ધર્મધ્રુવ તારક, શિષ્ય વત્સલ, પ્રેમ પ્રતિમા, સ્નેહ સાગર અને સ્મિતના જાદુગર છે. એવા વિસ્મય વિમુગ્ધ કરવાવાળા, વિલક્ષણ વ્યક્તિત્વના સ્વામી હોવા છતાં પૂજ્યશ્રી બાળક જેવા સરળ, સહજ, નિખાલસ, નિષ્કપટ, મૃદુતામય, કોમળ, આડંબર રહિત અને નિર્દભ છે.
આવું અદ્દભૂત વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે વિદ્યમાન છે. એથી વધીને ગૌરવની વાત બીજી કઈ હોઈ શકે ?
પૂજ્યશ્રી પિતાશ્રી પ્રતાપચંદજી વર્ષો પૂર્વે ગુજરાતના મહેસાણા ગામમાં
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૧૭