SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શુભ ગણધર વર્તમાન ચોવીશીના ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શુભ થયા હતા. વીસ વરસના અનુપમરૂપને ધારણ કરનાર પૂર્વમાં બાંધેલા નિકાચિત ગણધર નામ કર્મવાળા શુભ સહિત દત્ત, આર્યઘોષ, વશિષ્ટ, બંભ, સોમ, શ્રીધર, વારિખેણ, ભદ્રવશ, જય, વિજય નામના યુવાનોએ પ્રવજ્યા ગ્રહણ કરીને ગણધર થયા. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ તેઓને ચતુર્વિધ સંઘ સમક્ષ દીક્ષા આપી ત્યારબાદ તેઓને સર્વ ભાવાભાવને જણાવવામાં સમર્થ ઉત્પાદ, વિગમ, ધ્રુવ લક્ષણવાળા ત્રણ અર્થ પદો (ત્રિપદી) અર્પે છે. ત્રિપદીને સારી રીતે ગ્રહણ કરી બીજ બુધ્ધિપણા વડે કરી પૂર્વ ભવે બાંધેલા ગણધર નામકર્મના ઉદય વડે સારી રીતે વિસ્તાર કરીને, બાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરે છે. આ સમયે સૌધર્મેન્દ્ર દેવ સુગંધવાળા વાસક્ષેપથી ભરેલો રત્નો થાળ લઈ ભગવાનની પાસે આવે છે ત્યાર પછી પ્રભુએ દશને ગણધર પદવી આપીને જણાવ્યું કે ‘આજથી મેં તમોને સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાય અને નય વડે તીર્થની અનુજ્ઞા આપી છે. આમ કહીંને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દશેય ગણધરોના મસ્તક ઉપર વાસક્ષેપનો છંટકાવ કર્યો. એ સમયે રાણી પ્રભાવતી પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરે છે. શુભ ગણધર વિષેની તલસ્પર્શી માહિતી ઉપલબ્ધ નથી પરંતુ આષાઢી શ્રાવકની માહિતી મળે છે. તે પ્રસ્તુત છે. મહાવિદેહ ક્ષેત્ર, ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્ર કર્મભૂમિના . તેમાંજ તીર્થંકરો થાય. જ્યારે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર ના અમુક કાળમાં તીર્થંકરો હોય છે. આ બંને ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. ઉત્સર્પિણી કાળ પછી અવસર્પિણી કાળ આવે અને પાછો ઉત્સર્પિણી કાળ આવે. આ ક્રમ નિરંતર ચાલ્યા જ કરે છે. દરેક કાળમાં ૨૪-૨૪ તીર્થંકરો થાય. અત્યાર અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે. ભગવાન ઋષભદેવથી માંડી ભગવાન મહાવીર સ્વામી ચોવીશ તીર્થંકર ભગવંતો આ અવસર્પિણી કાળમાં શ્રી શુભ ગણધર ૧૯૫
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy