________________
શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસો સાતમી
દેવકુલિકામાં શ્રી હમીરપુરા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી ફણાથી મંડીત છે તેમજ પરિકરથી પરિવૃત છે.
આ મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં હમીરપુરા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં હમીરપુરા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં હમીરપુરા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. દરરોજ કોઈપણ એક મંત્ર ગ્રહણ કરીને તેની જાપ આરાધના કરવી. વહેલી સવારે નિશ્ચિત સમયે તથા આસન પર બેસીને જાપ કરવા, વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા મંત્ર આરાધનાથી સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે. બધી ચિંતાઓ ટળી જાય છે. જીવન આનંદમય બને છે.
સંપર્કઃ શ્રી હમ્મીપુરા પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી મીરપુરા તીર્થ - શેઠ કલ્યાણજી પરમાનંદજી પેઢી મીરપુરા પો. મીરપુરા જિ. સિરોહી (રાસ્થાન) - ૩૮૭૦૦૧.
ફોન : (૦૨૯૭૨) - ૮૬૭૩૭૧(પી.પી.),
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૮૦