SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરે છે. શિરોહીથી આબુ જતાં વચ્ચે આવે છે. આ પાર્શ્વનાથને ભીડભંજન પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે. (૨) વિક્રમ સંવત ૮૦૮માં હમીરે આ ગામ વસાવ્યું હોવાના ઉલ્લેખ છે. હમીરપુર, હમીરગઢ એવા નામોનો ઉલ્લે પણ મળી આવે છે, પરંતુ આ મંદિર એથી પણ પ્રાચીન છે. મહારાજા સંપ્રત્તિ દ્વારા નિર્મિત થયું હતું એવો ઉલ્લેખ “વીરવંશાવલી” માં મળી આવે છે. વિ.સં. ૮૨૧માં આચાર્ય શ્રી જયાનંદસૂરિશ્વરજી મહારાજના સદ્ ઉપદેશથી મંત્રીશ્વર શ્રી સામત્તે મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે. અહીં ગુંબજો, તોરણો અને સ્તંભો વગેરે પર કરેલી શિલ્પકલા લગભગ હજાર વર્ષ પ્રાચીન માનવામાં આવે છે. વિક્રમ સંવત ૧૩૨૮માં હસ્તલિખિત “શતપાદિકા’ પ્રશસ્તિમાં પણ અહીંના પલ્લીવાલ શ્રેષ્ઠીઓનો ઉલ્લેખ મળી આવે છે. કોઈ એક સમયે આ એક વિરાટ નગરી હશે એવું અહીંના છૂટા છવાયા અવશેષો ઉપરથી અનુમાન થઈ શકે છે. હજુ પણ જીર્ણોધ્ધારનું કામ ચાલુ છે. પાર્શ્વ ચંદ્ર ગચ્છના સંસ્થાપક શ્રી પાર્જચંદ્રસૂરિશ્વરજી મહારાજની આ જન્મભૂમિ છે. જેમનો જન્મ સોળમી સદીમાં થયો હતો. અને અહીંનું પ્રાકૃતિક દેશ્ય અને મંદિરની સન્મુખ સૂર્યાસ્તનું દેશ્ય જોવા લાયક છે. શ્રી પાર્શ્વ વંદના ચૈત્યવંદના અશ્વસેન કુળ દીવડો, વામાનંદના નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ.... ૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; મોહન” ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩ શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ૧૭૭
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy