SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ કરાયો. મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથજી પ્રભુને જીર્ણોધ્ધાર બાદ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. દર વર્ષે વૈશાખ સુદ-૩ના આ જિનાલયની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. આ પાર્શ્વનાથજીનું નામ નવલખા નામ કેમ રાખવામાં આવ્યું તે અંગે અનેક મતો પ્રવર્તમાન છે. એક મતાનુસાર આ પ્રતિમાજીના નવ અંગોના તિલક સ્થાને નવ યંત્રો ખોદીને તેમાં મંત્રાક્ષરો લખવામાં આવેલા હોવાથી તે “નવલખા” નામથી ઓળખવામાં આવે છે. બીજા મત અનુસાર નવલખા જાતિના ઓસવાલે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો લાભ લીધો હોવાથી તે ‘નવલખા” નામથી ઓળખાય છે. ત્રીજી માન્યતા અનુસાર એ દૈદિપ્યમાન જિનાલયના નિર્માણ પાછળ નવ લાખનો ખર્ચ થયો હોવાથી “નવલખા” નામથી ઓળખાય છે. પાલીમાં નવલખા દરવાજો અને નવલખા રોડ પણ આપે છે. દીવમાં પણ શ્રી નવલખા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય ગુર્જરેશ્વર મહારાજા કુમારપાળે બંધાવેલું છે. અહીંની શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજીને નવલખો મુગટ અને નવલખો હાર ચડાવવામાં આવતો હોવાથી તે નવલખાના નામથી જાણીતા થયા. પાલીના શ્રી નવલખા પાર્શ્વનાથ જિનાલયના નિર્માતા સંબંધી એક લોકવાયકા પણ છે તે અનુસાર સાંડેરાવ તીર્થમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. વાત છે દશમા સૈકાની, એ વખતે ભાવિકોના હૈયામાં પણ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિ અપૂર્વ હતી. આ પ્રતિષ્ઠા – મહોત્સવમાં સંડેરક ગચ્છના મહાતેજસ્વી અને જ્ઞાની આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિશ્વરજી મહારાજ ઉપસ્થિત હતા. આ પ્રસંગે પુષ્કળ ધૃત(ઘી)ની જરૂર પડતાં આચાર્ય ભગવંતે મંત્રશક્તિ દ્વારા પાલીથી ઘી મંગાવ્યું. જે વેપારીને ત્યાંથી આ ઘી લાવવામાં આવ્યું તે વેપારીને આ વાતનો અણસાર પણ નહોતો. પ્રતિષ્ઠા - મહોત્સવ રંગેચંગે પૂર્ણ થયો. શ્રી ( શ્રી નવલખા પાર્શ્વનાથ ૧૬૯
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy