SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અડાડે માટે કંઈક વિચારીને જ વાત કરવી પડશે. | મફતલાલ એક રાતે ધનસુખલાલ માસ્તરના નાનકડા મકાનમાં આવ્યા. ધનસુખલાલ માસ્તરના મકાનમાં બે ખુરશી અને એક પાટ હતી. અને થોડું ઘણું રાચરચીલું હતું. ધનસુખલાલે અતિથિને આવકાર આપ્યો અને કહ્યું : “ભાઈ, તમે કોણ છો ? મેં તમને ઓળખ્યા નહિ...?” “ગુરૂજી, તમે મફતને ભૂલી ગયા... તમે મને સંસ્કારના સેવા બીજ રોપ્યા છે કે મુંબઈ ગયા પછી પણ મુંબઈની માયાથી દૂર રહી શક્યો. ત્યાં દરરોજ શ્રી જિનપૂજા તેમજ સામાયિક કરી શકું છું. આપની કૃપાથી મારું જીવન તેજોમય બન્યું છે.' - “હા...હા.. યાદ આવ્યું. મફતલાલ...પણ તમે તો ઘણા વર્ષોથી મુંબઈમાં છો...?' | ‘ગુરૂજી, તમે મને તમે' કહીને ન સંબોધો...! હું તો માત્ર તમારો મફત રહેવા માગું છું. હું આજ ગુરૂ દક્ષિણા દેવા આવ્યો છું. મારી ભાવનાને ઠેસ પહોંચાડતા નહિ...' મફતલાલની આંખમાં આંસુ સરી પડ્યા. ગુરૂ દક્ષિણા ?' ધનસુખ લાલને નવાઈ લાગી. “હા...ગુરૂજી, મારું જીવન સુસંસ્કૃત, સંસ્કારી રહી શક્યું હોય તો તેમાં મારી પ્રેરણા આપ છો... આજે ગુરૂદક્ષિણા રૂપે એક નાનકડી રકમ આપના ચરણમાં ધરવા માગું છું. આપ ઈન્કાર કરશો નહિ...' ધનસુખલાલે ઘણી આનાકાની કરી પરંતુ મફતલાલ તે રકમનું કવર મૂકીને જ ગયા. જતાં જતાં ફરીવાર ધનસુખલાલના ચરણ સ્પર્શ કર્યા. ધનસુખલાલની પત્નીએ કવર ખોલ્યું તો તેમાં બે લાખ રૂપિયા હતા.ધનસુખલાલ બીજે દિવસે તે રકમ મફતલાલને પાછી આપવા ગયા ત્યારે શ્રી મુકેવા પાર્શ્વનાથ ૧૫૨
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy