SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ જાણકારી અમદાવાદમાં રીલીફ રોડ પર આવેલા શ્રી આદિનાથ જિનાલયમાં વહેલી પરોઢથી રાત્રે મોડે સુધી રહેતી સતત ભીડ આ પ્રભુજી પરની અમદાવાદ વાસીઓની અપૂર્વ શ્રધ્ધાનું પ્રતિબિંબ પાડે છે. મૂળનાયક શ્રી આદિનાથજીની જમણી બાજુએ શ્રી મુલવા પાર્શ્વનાથ બિરાજમાન છે. આ પ્રભુના પરમ પ્રભાવના અનુભવો શ્રધ્ધાળુઓને અવાર-નવાર થાય છે. પ્રભુજી અત્યંત મનોહર અને પ્રભાવક છે. કહેવાય છે કે સતત છ મહિના ધારણાપૂર્વક કોઈ આ પ્રભુજીના દર્શન કરી શકતું નથી. અમદાવાદ ઈદલપુર નામના પરામાં અમદાવાદ નિવાસી વિશાશ્રીમાળી જ્ઞાતિના શેઠ કુટુંબે પ્રાયઃ ૨૦૦-૩OO વર્ષ પૂર્વે “શ્રી મુકેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. એ હકીકત એક ચિરમુદ્રિત પુસ્તકના સ્તવનમાં ઉપલબ્ધ થાય છે. માટે એવી સંભાવના વ્યક્ત કરી શકાય કે તે મંદિર કાળક્રમે અદૃશ્ય થતાં ત્યાંના મૂળનાયક પ્રભુજીને પાંજરાપોળમાં લાવી બિરાજીત કરાયાં હોય. શ્રી પાર્શ્વ સ્તવના જે સર્વ ઋધ્ધિ સિદ્ધિના ને ઉન્નતિના મૂળ છે, જે રાજનગરની સંપદાને શાંતિ સુખના મૂળ છે, જેના પ્રભાવિક દર્શને સહુ ભાવિકો નિત આવતા, શ્રી મુકેવા” પ્રભુ પાર્થને ભાવે કરૂં હું વંદના. અહમદાબાદ મેં વાસ પ્રભુ, આનંદ કે ભંડાર હૈ | જો રત્નત્રયી - દાતા મહા, સુખ-શાંતિ કે આગાર હૈ | જો હૈ પ્રભાવી લોક મેં, શુભ મુક્તિ કે દાતાર હૈ | ઐસે “શ્રી મુલવા પાર્શ્વ” કો મૈં, ભાવસે કરૂં વંદના . મોરૈયાને મુલેવાના શુભનામથી જે રાજ કરે, રાજ રાજેશ્વર રાજનગરના ભાવિકોના મનડા હરે, શ્રી મુલવા પાર્શ્વનાથ ૧૪૮
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy