SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અને નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમાં તેમને લાભ થયો. શાંતિભાઈ અને ધર્મિષ્ઠાએ નક્કી કર્યું કે દર વર્ષે બે વાર તો શંખેશ્વરની યાત્રા તો અવશ્ય કરવી. શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેમજ મનની મુંઝવણ દૂર થાય છે. મંત્ર આરાધના (૧) ૩૪ મૈં ર્માં વહી પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ ીં શ્રીં વહી પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐૐ હ્રીં શ્રીં શ્રÆ Æ વહી પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવક છે. ઉપરોક્ત ત્રણ મંત્રો માંથી એક મંત્રના જાપ દરરોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને નિશ્ચિત આસન પર બેસીને કરવા. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ ચાલુ રાખવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું જરૂરી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી આસનની સામે રાખવી. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ પહેરવા. દેરાસરમાં પણ બેસીને જાપ કરી શકાય. મંત્ર આરાધનાથી મનની પ્રસન્નતા ખીલે છે તેમજ મુંઝવતા પ્રશ્નોનો નિકાલ આવે છે. જાપ અનેરી શ્રધ્ધા અને ભક્તિ સાથે કરવા. સંપર્કઃ શ્રી વહી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન મંદિર પેઢી પો. વહી સ્ટેશન, પપલિયામંડી, જિ. મંદસોર(મ.પ્ર.) - ૪૫૮૬૬૪ ફોન : (૦૭૪૨૪) - ૪૧૪૩૦(પી.પી.), ૪૧૦૩૫ શ્રી વહી પાર્શ્વનાથ ૧૨૪
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy