SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, રક્તવર્ણી પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે તેમજ સતફણાથી અલંકૃત છે. મહિમા અપરંપાર અમરેલીમાં ભાવેશભાઈ કોઠારી રહે. ભાવેશભાઈ નાનપણથી જ ધર્માનુરાગી. દરરોજ જિનાલયમાં જઈને શ્રી જિનેશ્વર ભગવંતની સેવા પૂજાભક્તિ કરતાં. તેઓ દરરોજ શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના જાપ કરતાં હતા ત્યારે એકવાર કોઈએ કહ્યું : “ભાવેશભાઈ, તમે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના જાપ કરો છો તેથી તમને કોઈ લાભ થયો છે?” ‘એ તો મને ખબર નથી પરંતુ કોઈ વિપદા આવતી નથી.' ‘ભાવેશભાઈ, તમે એક કામ કરો. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના પાઠ કરતાં પહેલાં શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુની માળા કરજો. રોજની સાત માળાતો અવશ્ય કરજો...તમને જરૂર લાભ થશે.' | ‘ભલે...પણ શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના જાપ શરૂ કરતાં પૂર્વે મારે શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવા છે.” “તો તો તમારે શંખેશ્વર જવું પડે. ત્યાં ભક્તિવિહારના જિનાલયમાં શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દેવકુલિકામાં બિરાજમાન છે. ત્યાં દર્શન કરી આવો...' | ‘એની તો મને ખબર જ નહોતી. અમે શંખેશ્વર જઈએ અને શ્રી શંખેશ્વર દાદાના દર્શન કરીને પાછા ફરી જતા હતા. આવતીકાલે મારે બેંકમાં રજા છે આજે સાંજે જ શંખેશ્વર પહોંચી જઉ. ત્યાં આવતીકાલે સેવાપૂજા કરીને બપોરે નીકળીને અહીં પાછો આવી જઈશ, અને તમે જેમ કહ્યું તેમ ત્યાં બેસીને શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના જાપનો પ્રારંભ કરીશ.' ‘ભાવેશભાઈ, હું શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુનો મહા પ્રભાવક મંત્ર લખીને આપું છું દરરોજની સાત માળા કરજો ...' શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ૧૦૧
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy