________________
સ્તવન
શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ...૧ નિલવરણ નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાનરૂપ અરિહંત....૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસના પરસે, ભવના બંધન જાય...૩ શામળીયાની સેવા કરતાં, મનના મનદળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીયે પાસ નિણંદ; મોહન' ભવનાં અંધારામાં, પ્રગટે પુરણ ચંદ....૫
- સ્તુતિ નયનાનંદ આનંદ કંદ પારસ જિન પ્યારા; નિલવરણ શિવસુખકરણ તરણ તારણહારા, પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા, સુરનર મુનિજન સદાય ગુણ ગાતા તારા. (વૈદ્ય મોહનલાલ ચુ.ધામી – ‘સ્તવન મંજરી' માંથી સાભાર).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
૯૯