SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વારાણસી પાર્શ્વનાથ ઉત્તરપ્રદેશના વારાણસી (બનારસ) ખાતે શ્રી કાશી પાર્શ્વનાથ અર્થાત શ્રી વારાણસી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. વારાણસી રેલ્વે સ્ટેશનથી ૩ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે. અહીં આવેલા બાર જિનાલયો પ્રાચીન છે. ભેલપુર, ભદૈની, રત્નપુરી અને સિંહપુરી જેવી કલ્યાણક ભૂમિઓની સ્પર્શના અંતરને આહલાદક બનાવનારી છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. વારાણસીમાં ભેલપુરમાં ધર્મશાળાની વચ્ચે જ ધાબાબંધી જિનાલયમાં શ્રી વારાણસી(કાશી) પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. પંચફણાથી અલંકૃત્ત, પદ્માસનસ્થ અને શ્યામ વર્ણની આ પ્રતિમાજીની ઊંચાઈ લા ઈંચ અને ૯ ઈંચ પહોળી છે. વારાણસી આજે બનારસ તરીકે ઓળખાય છે. વારણા અને અસી નામની બે નદીના સંગમ પર આ સ્થળ વસેલું છે. પ્રાચીનકાળથી વારાણસી કાશીનગરી તરીકે ઓળખાય છે. સંસ્કૃત્તિ અને વિદ્યાના ક્ષેત્રે કાશીનું પ્રદાન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક સ્થાન ભદૈની તે વારાણસીનું જ એક અંગ છે. પ્રાચીન કાળથી આ નગરી જૈનોનું યાત્રાધામ રહ્યું છે. | આ નગરીના ભાગ સમી ચંદ્રપુરીમાં શ્રી ચંદ્રપ્રભુસ્વામી અને સિંહપુરીમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનો જન્મ થયો. શ્રી પાર્શ્વનાથ પ્રભુનો ભેલપુર (વારાણસી)માં જન્મ થતાં આ નગરીની પ્રતિષ્ઠામાં વધારો થયો. આ નગરીને તીર્થંકર પરમાત્માઓના ૧૬ કલ્યાણક ઉજવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક આ નગરીમાં થયા હતા. તેમજ પ્રથમ દેશના પણ અહીં થઈ હતી. તે સમયમાં શ્રી પાર્શ્વ પ્રભુના અપત્ય શ્રમણોની સંયમ ક્રિયાઓનું મહત્વનું કેન્દ્ર વારાણસી રહ્યું હતું. પ્રભુની ઉપદેશવાણીથી સમગ્ર બિહાર પ્રભાવિત હતું. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના સમયમાં આ નગરી મલ્લકી જાતિના શ્રી વારાણસી પાર્શ્વનાથ ૫૦
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy