SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ રશ્મિબેન બોલ્યા : “ભલે...એમજ કરીએ...' બધાએ હાથ-મોં ધોયા, વસ્ત્રો બદલાવીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં દર્શનાર્થે ગયા. ત્યારે ત્યાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુના મુખ્ય જિનાલયમાં ભાવના ભણાવાતી હતી. હસમુખલાલનો પરિવાર થોડીવાર ભાવનામાં બેઠો. પછી ફરતી ભમતીમાં બિરાજમાન દરેક પાર્થ પ્રભુના દર્શન કર્યા શ્રી પોસલીયાજી બની ગયા. ( શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીને હસમુખભાઈ અને પરિવારના સભ્યો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે ગયા. રાત્રિના સવા દસ થઈ ગયા હતા. સૌ ધર્મશાળામાં પાછા ફર્યા અને મુસાફરીનો થાક લાગ્યો હોવાથી સૌને સૂતા વેંત નિદ્રા આવી ગઈ. બીજે દિવસે એક પછી એક તૈયાર થવા લાગ્યા. હસમુખભાઈ, રશ્મિબેન, કિરીટ, દર્શન તથા ઈશિતાએ પૂજાના સત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં સેવા-પૂજા કરવા માટે નીળ્યા. સૌએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે સેવા પૂજા કરી. શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ પ્રભુની શ્યામવર્ણની પ્રતિમાજીની અનેરા ભાવથી સેવાપૂજા કરી. હસમુખભાઈના પરિવારે ત્યાંજ ચૈત્યવંદન અને ભક્તિ કરી. હસમુખલાલ અને રશ્મિબેને વેપારને અંગે ઊભી થયેલી ચિંતા માટે ખરા હૃદયથી પ્રાર્થના કરીને માર્ગ બતાવવા વિનંતી મનોમન કરી. ત્યારપછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની વાસક્ષેપ પૂજા કરીને ધર્મશાળામાં પાછા ફર્યા. બપોરનું ભોજન લઈને બપોરે બે વાગે શંખેશ્વરથી ભાવનગર જવા નીકળી ગયા. ભાવનગર આવ્યા પછી પંદરેક દિવસ બાદ હસમુખભાઈ પાસે મુંબઈનો પ્લાસ્ટીક ફેક્ટરીનો માલિક મળવા આવ્યો અને હોલસેલના વેપાર અંગે વાતચીત કરી. હસમુખલાલે બે દિવસ વિચારી તેમ જ મારકેટનો સર્વે કરીને પ્લાસ્ટીકની આઈટમોમાં ઝુકાવવાનો નિર્ણય કર્યો. તેમણે પ્રોવિઝન - અનાજ – કરિયાણાનો વેપાર ચાલુ રાખ્યો તેમ જ પ્લાસ્ટીકની હોલસેલની નવી દુકાન શરૂ કરી. કંપની શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ ૪૮
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy