________________
જયંતીભાઈને સારું થઈ ગયું. પંદર દિવસ બાદ તેઓ પરિવાર સાથે શંખેશ્વર ગયા અને જયંતીભાઈએ પરિવાર સાથે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવ્યા ત્યાં બે દિવસ રોકાઈને શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરી.
જયંતીભાઈ આજે પણ બધા સાથે સરસ રીતે વાતચીત કરી શકે છે. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી દુઃખ, વિપત્તિઓ નાશ પામે છે.
મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં નવપલ્લવ પાર્શ્વનાથાય નમ: (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નવપલ્લવ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૩ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં નવપલ્લવ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો જાપ નિત્ય કરવો. જાપનો સમય વહેલી સવારનો રાખવો તેમજ આસન અને સમય જાળવી રાખવો. મંત્ર આરાધનાથી જીવનમાં આવતી વિપત્તિઓ દૂર થાય છે. તેમજ આરોગ્ય સુખાકારી રહે છે.
સંપર્કઃ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જૈન દેરાસર મુ. પો. માંગરોલ, તા. માંગરોલ, જિ. જુનાગઢ (ઉ.ગુ.)-૩૬૨૨૨૫. ફોન : (૦૨૮૭૮) ૨૨૨૭૯૫
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૬