SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. શંખેશ્વરમાં દરરોજ હજારો યાત્રાળુઓની અવર-જવર રહે છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડો છે. શંખેશ્વરમાં નવા-નવા જિનાલયોની રચના થતી જાય છે. સર્વત્ર આરાધનાના કેન્દ્રો ચાલી રહ્યાં છે. - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને દર્શનીય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં મુળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. સંવત ૨૦૪૫માં આ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તપાગચ્છ સૂર્ય આ.ભ.પૂ.શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા સ્વ.પૂ. આ. ભ. શ્રી સુબોધસૂરિશ્વરજી મહારાજ આદિ સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં તથા હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે પ્રતિષ્ઠા મહોત્સવ તથા અંજનશલાકા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેની શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં તેતાલીસમી દેરીમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. પ્રતિમાજીના દર્શન કરતાં અંતરમાં શ્રધ્ધાના સૂર ઝણક્યા વગર ન રહે તેવી પ્રતિમાજી છે. છે. અહીં તેતાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. શ્વેત પાષાણના આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર અમદાવાદમાં નિવાસ કરતાં જયંતીભાઈને ગળાનું કેન્સર થયું હતું. તેઓ ભારે પરેશાની ભોગવતા હતા. તેમને ગળે ખોરાક પણ ઉતરી શકતો નહોતો. શરૂઆતમાં જયંતીભાઈએ ફેમીલી ડોક્ટર પાસે દવા કરી હતી પરંતુ કશો ફરક શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy