________________
આદિત્ય છો. પરમત રૂપી મેઘ ઘટાનું વિસર્જન કરનારા પવન છો.
જલપૂર્ણ મેઘઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો. પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજ્ય છો. અને ભવભયને હરનારા છો. મૃત્યુને દળનારા છો. અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા
છો.
અગાધ ભવસાગરથી તારનારા છો, કામદેવના વનનું દહન કરનારા છો. એવા હે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ...(શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ દર્શન).
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રીં ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રુ ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત કોઈપણ એક મંત્રના જાપની આરાધના શ્રધ્ધા અને ભક્તિથી કરવી. દરરોજ વહેલી સવારે એક સમય રાખીને, નિશ્ચિત આસન પર બેસીને જાપ કરવા. મંત્ર આરાધનાથી વિપત્તિઓ નષ્ટ પામે છે. સર્વ કાર્યો સિધ્ધ થાય છે.
સંપર્કઃ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન દેરાસર)
ઠે. મેઈન પોસ્ટ ઓફિસ પાસે, મુ. પો. ખેડા, જી. ખેડા (ઉ.ગુ.)-૩૮૭૪૧૧.
ફોન : (૦૨૬૯૪) ૨૨૨૦૧૨
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ
૩૦