SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ છે.” કોઈએ પૂછયું : “ગુરૂદેવ, આ કષાયો કોણ છે? તેના નામ, ભેદ, સ્થિતિ શું છે? આપ તે અંગે પ્રકાશ પાડશો તો અમને આનંદ થશે. ગુરૂદેવે કહ્યું : “હે ભદ્ર, કષાય શબ્દમાં બે શબ્દોનું સંયોજન છે. કષ તથા આય. કષ એટલે સંસારની અને આય એટલે વૃધ્ધિ કરાવનાર. તે કષાય કહેવાય છે. આમ કષાયના ચારભેદ શાસ્ત્રમાં વર્ણવ્યા છે. ક્રોધ, માન, માયા અને લોભ. તે દરેકના પણ તેના સ્વભાવ તથા કાળને નજરમાં રાખીને ચાર ભેદ પાડેલા છે. અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલન. અનંતાનુબંધી ક્રોધ પર્વતની રેખા જેવો દુઃખદાયી, દારૂણ અને અનંત સંસાર રખડાવનાર છે. બીજો પૃથ્વીની રેખા જેવો ક્રોધ છે. ત્રીજો પ્રત્યાખ્યાની ક્રોધ ધૂળની રેખા જેવો છે. ' ચોથો સંજવલન ક્રોધ પાણીની રેખા જેવો છે. આમ ક્રોધના ગુણ પ્રમાણે ભાગ પાડેલા છે. અનંતાનુબંધી ક્રોધનો ઉદય થાય તો તે કેમેય કરીને શાંત થતો નથી. ઓછામાં ઓછા શાંત થનારા બીજા, ત્રીજા અને ચોથા પ્રકારના ક્રોધ છે. ( આ પ્રમાણે માન અનુક્રમે પથ્થરના સ્તંભ જેવો, હાકડાના સમૂહના સ્તંભ જેવો, કાષ્ટના તંભ જેવો, પાતળી લાકડી જેવો વધતી ઓછી અસર બતાવનાર જણાવેલ છે. આ પ્રમાણે માયા કષાય - વાંસના મૂળ, મિંઢોળની સીંગ, ગાયના મૂત્રની ધારા તેમજ અવલેહ જેવો સમજવો. ચોથો લોભકષાય-કૃષિનો રંગ, કાદવ નો રંગ, અંજનનો રંગ અને હરિદ્રના રંગ જેવો સમજવો. ( આ પ્રમાણે આ સઘળા કષાયો આત્મા પર ઓછાવત્તા અંશે અસર કરનારા છે. પરમપદની પ્રાપ્તિ માટે કષાયોથી મુક્ત થવું જોઈએ. આચાર્ય ભગવંતની મંગલવાણી સાંભળીને કેટલાક ભવ્ય જીવોએ શ્રાવક શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy