________________
આજે પણ ખંભાતના ખારવાડામાં આ ભવ્ય જિનાલય અતીતના દિવ્ય સંભારણા સાથે વિદ્યમાન છે. ત્રણ શિખરોથી યુક્ત આ જિનાલય દર્શનીય છે. સવાર અને રાત્રિના પ્રતિક્રમણમાં ભાવિકો તીર્થવંદના સૂત્રમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથને નમસ્કાર કરે છે. આ તીર્થ અને પ્રતિમાજી વિશેની નોંધ અનેક પ્રાચીન ગ્રંથોમાં છે. મુનિવરો દ્વારા આ તીર્થની સ્તવના થઈ છે.
શ્રી પાર્શ્વ-સ્તવના
jojo
અતીત ચોવીસી સે પૂજિત, ખંભાત તારણહાર હૈ અષાઢી શ્રાવક પર રહા, ઈનકા મહા ઉપકાર હૈ ।। નાગાર્જુન, બલદેવ અષ્ટમ કે, યે હી આધાર હૈં । ઐસે ‘શ્રી સ્થંભન પાર્શ્વ' કો મૈં ભાવસે કરૂં વંદના |
નાના નમણા નાજુક ફુલ સમ પ્રભુજી નિલમ રત્નના, સ્થંભિત કરીને ચોરાદિકના દુષ્ટ ભાવો નિવારતાં, કુષ્ટ રોગી સૂરિ ભગવંતને નિરોગીપણું આપતાં, ‘સ્થંભન’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા. અતીત ચોવીસી તણા નેમિપ્રભુ ઉપદેશથી, આષાઢી શ્રાવક પૂજતા નીલમ તણા પ્રભુ પાર્શ્વજી, નાગાર્જુનને આઠમા બલદેવજી પણ ‘સ્થંભનજી' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
પૂજતા,
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૯૧
>> j*!