SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની આ સપ્તફણાથી અલંકૃત છે. તેમજ પરિકરથી પરિવૃત છે. મહિમા અપરંપાર લીંબડીમાં ન્યાલચંદ અને તેમના પત્ની રેવાબેન ખૂબજ દયનીય સ્થિતિમાં જીવન પસાર કરતા હતા. ન્યાલચંદભાઈના વિવાહ થયા ત્યારે પરિસ્થિતિ ઘણી સારી હતી પરંતુ એકાએક ધંધામાં મંદી આવી જતાં તેમણે મકાન, દુકાન, દાગીનો બધુ ગુમાવી દેવું પડ્યું. તેઓ રસ્તા પર આવી ગયા હતા. લીંબડીમાં તેઓ એક ખોલીમાં રહેતા હતા. | ન્યાલચંદભાઈ રેંકડી ફેરવવા લાગ્યા. રેંકડીમાં ઘરવપરાશની ચીજ વસ્તુઓ રાખતાં અને લત્તે લત્તે ફરતાં એમાં તેમને દરરોજ ચાલીસ પચાસ રૂપિયા જેવું મળી જતું. રેવાબેન ઘેર રહીને સિલાઈ કામ કરતાં તેમાં તેમને મહિને પાંચસો-છસો જેવી આવક રહેતી. એક દિવસ ન્યાલચંદે પત્નીને કહ્યું : “રેવા, મારું મગજ કામ કરતું નથી. આવી પરિસ્થિતિમાં ક્યારેય રહ્યાં નથી. આજે તારે સિલાઈકામ કરવું પડે છે તે મારાથી જોવાતું નથી. શું કરવું તેની સુઝ પડતી નથી.” | ‘તમે આજે દેરાસર ગયા હતા?” હા...પણ શું..?” જો તમે દેરાસર જતાં હો તો તમારે ચિંતા કરવાની જરૂરજ નથી. આપણા કર્મો ઉદયમાં આવ્યા છે તેથી આ પરિસ્થિતિનો હસતા મોઢે સામનો કરવો ઉચિત ગણાશે... જિનાલયમાં દાદાની ભક્તિ અનન્ય ભાવથી કરજો ... હું મોડેથી દર્શન-પૂજા કરવા જઉ છું. મને તો પરમ શાંતિનો અનુભવ થાય છે. “રેવા, મિત્રો, સ્નેહીઓ વગેરે સામે મળે તો પણ મોઢું ફેરવી લે છે. એનો મને અફસોસ નથી. આ જગતમાં ધનવાનોની કદર થાય છે. આજે દેરાસરમાં એક શ્રાવકે કહ્યું કે તમે શંખેશ્વર જાઓ ત્યાં ભક્તિ વિહારમાં શ્રી રત્ન શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ ૨૮૪
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy