________________
ૐ અસિઆ ઉસા નમોનમઃ તું મૈલોક્યનો નાથ રે, ચોસઠ ઈન્દ્રો ટોળે મળી સેવે જો ડી પ્રભુ હાથ રે...(૩)
ૐ હ્રીં શ્ર પ્રભુ પાર્શ્વ જી મૂળના મંત્રાનું બીજ રે, પાર્થ પ્રભુજીના નામથી આય મિલે સવિ ચીજરે... (૪)
ૐ અજિતા વિજયા તથા અપરાજિયા જયા દેવીરે, દશ દિશિપાલ ગ્રહ યક્ષએ વિદ્યાદેવી પ્રસન્ન હોય તેવીરે... (૫) ગોડી પ્રભુ પાસ ચિંતામણિ થંભણો અહિછત્તો દેવરે, જગવલ્લભ તું જગે જાગતો અંતરિક વરકાણો કરું એવરે...(૬) શ્રી શંખે શ્વ૨પુ૨ મંડણો, પાર્શ્વ જિન પ્રણત તકલ્પરે, વારજો દુષ્ટના વંદને, સુજસ સૌભાગ્ય સુખ કલ્પ રે... (૭)
જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટકમ્ રિપુ જીતીને, પંચમી ગતિ પામી... (૧) પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ, પ્રભુ નામે ભવભવ તણા, પાતિક સવિ દહીએ... (૨) ૩ૐ હૂ વર્ણ જોડી કરી, જપીએ પારસ નામ, વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ધામ... (૩)
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૨