SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જિયાગંજ તીર્થમાં મૂળનાયક શ્રી સંભવનાથ સ્વામી છે. જ્યારે અઝિમગંજ તીર્થમાં મૂળનાયક રૂપે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ છે. ભાગીરથી ગંગા નદીના કિનારે વસેલા આ રમણીય તીર્થમાં કલાના નમૂનાઓ જોવા મળે છે. રત્નોની બનેલા પ્રતિમાઓનો સંગ્રહ જરૂર જોવાલાયક છે. જે અહીંની જાહોજલાલીનો ખ્યાલ આપે છે. આ ઉપરાંત અહીં બીજા સાત મંદિરો છે. જિયાગંજ રહી, ત્યાંથી અહીં હોડીમાં નદી પાર કરીને સહેલાઈથી આવી શકાય છે. અહીં કસોટીના પથ્થરમાંથી બનેલું મંદિર જોવાલાયક છે. કસોટીનો પથ્થર સોનાની ચકાસણી માટે વપરાય છે. અહીંના નવરત્નની પ્રતિમાઓના દર્શન યાદગાર બની રહે તેમ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી મહિમા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. શ્રી મહિમા પાર્શ્વનાથ ૨૬૭
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy