SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ન દ્વેષ, ન ક્રોધ, ન વૈર, ન સ્નેહ, ન ઉમંગ કે ન કોઈ જાતનો ઉમળકો. પ્રભુ તો ધ્યાન મુદ્રામાં સ્થિર બન્યા હતા. આ સમયે નાગરાજ ધરણેન્દ્રથી ન રહેવાયું. નાગરાજે ક્રોધિત સ્વરે કહ્યું : અરે...! તું આ શું કરી રહ્યો છે ? હું એ મહાકૃપાળુ નો શિષ્ય છું. પણ હવે હું સહન કરી શકીશ નહી. યાદ કર... તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતા સર્પને બતાવીને તને પાપ માંથી બચાવ્યો હતો. એથી એમણે તારો શું અપરાધ કર્યો છે? તે પ્રભુની ઉ૫૨ નિષ્કારણ શત્રુ થઈને જ કાર્યારંભ કરેલ છે. તે અટકાવી દે નહિતર તું રહી શકીશ નહિં.' નાગરાજ ધરણેન્દ્રના શબ્દો સાંભળીને મેઘમાળીએ નીચી દૃષ્ટિ કરીને જોયું તો નાગેન્દ્ર સેવિત એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને જોયા. મેઘમાળી પોતાનો પરાજય જણાયો. મેઘમાળીને થયું કે પોતાની તમામ શક્તિ પ્રભુના પ્રભાવ પાસે ક્ષીણ થઈ ગઈ છે. પ્રભુ તો એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે. પણ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતાં નથી. પરંતુ મને તો આ ધરણેન્દ્ર નાગરાજનો ભય લાગે છે. શું કરૂ ? હા...જો આ પ્રભુનું શરણ મળે તો જ હું ઉગરી શકીશ અને મારૂં હિત એમાં જ સમાયેલું છે. :: આમ વિચારીને મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને ભાવભર્યા વંદન કરીને બોલ્યો : ‘પ્રભુ, આપ તો અપકારીજન પર ક્રોધ કરતા નથી. આપ મારા પર કૃપા વરસાવીને મારા તમામ અપરાધોની ક્ષમા આપો...મારી રક્ષા કરો. . .આ પ્રમાણે કહીને પ્રભુને ખમાવી, વંદન કરીને મેઘમાળી દેવ પશ્ચાતાપ કરતો પોતાના સ્થાને ગયો. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ રહિત જાણીને નાગરાજ ધરણેન્દ્ર સ્તુતિ અને વંદન કરીને પોતાના સ્થાનકે ગયા. આ તરફ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ આગળ ઉપર વિહાર કર્યો વિહાર કરતાં તેઓ વારાણસીની નજદિક આવ્યા અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં ઘતકી વૃક્ષની નીચે કાર્યોત્સર્ગે રહ્યાં. ત્યાં દીક્ષાના દિવસથી ચોરાસી દિવસો પસાર થયે શુભ ધ્યાનથી શ્રી પાર્શ્વ શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ ૨૬૨
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy