SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આ તો હેરાનગતિ થઈ કહેવાય...' પ્રભુદાસભાઈ બોલ્યા.’ ‘પ્રભુદાસભાઈ, આજે વકીલ મારફત નોટીસ ફટકારવી છે. તમે શું સલાહ આપો છો ?’ ‘નિરંજનભાઈ, હું તમને સલાહ આપું ખરો, પણ તમને ગળે નહિ ઉતરે.’ ‘એવું તો શું છે ?’ ‘વાત એમ છે કે હું દર પુનમની શંખેશ્વરની યાત્રા કરૂં છું. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયની ભમતીમાં શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુની દેરી છે. આ પાર્શ્વનાથ ભારે ચમત્કારિકરે છે. તમે અત્યારે સંકલ્પ ધારો કે મારી રકમ આઠ દિવસમાં આવી જશે તો દર્શનાર્થે આવીશ. મને પૂરી શ્રધ્ધા છે કે શ્રી સેસલી પાર્શ્વનાથ દાદા તમારી ઉપાધિ જરૂર દૂર કરશે.’ ‘પ્રભુદાસભાઈ, હું હૃદયના ભાવ સાથે, અનન્ય શ્રધ્ધા સાથે સંકલ્પ કરૂં છું કે મારી વ્હેણી રકમનો ચેક આઠ દિવસમાં આવી જશે તો શ્રી સેસલીજી પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે આવીશ અને સેવાભક્તિ કરીશ.’ નિરંજનભાઈ બોલ્યા. નિરંજનભાઈ થોડીવાર ત્યાં બેઠા પછી પોતાના સ્થાને પાછા ફર્યા. ચાર દિવસ પસાર થયા ત્યાં કલકત્તાથી નિરંજનભાઈ પર ફોન આવ્યો અને કહ્યું : ‘શેઠ, આજે કુરિયરમાં ડ્રાફ્ટ મોકલ્યો છે. એક-બે દિવસમાં તમને મળી જશે...તમને તકલીફ પડી તે બદલ માફ કરશો.’ ‘તમારો ડ્રાફ્ટ આવી જાય પછી હું ફોન કરીશ.' નિરંજનભાઈને કલકત્તાની પાર્ટી પર વિશ્વાસ નહોતો. અને ખરેખર ત્રણ દિવસ પછી ડ્રાટ આવી ગયો. નિરંજનભાઈ તરતજ પ્રભુદાસભાઈ પાસે આવ્યા અને કહ્યું : ‘ભાઈ, આપણે શંખેશ્વર જવું છે. તમે તૈયાર થઈ જાઓ..' ‘કેમ..?’ પ્રભુદાસભાઈ તો ભૂલી ગયા હતા. ‘પેલા દિવસે શ્રી સેસલીજી પાર્શ્વનાથના દર્શનાર્થે જવાનો સંકલ્પ મેં કર્યો નહોતો ? મારો એ સંકલ્પ પૂરો થયો છે. આપણે આવતીકાલે સવારે શંખેશ્વર શ્રી સેસલીજી પાર્શ્વનાથ ૪
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy