SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ નાખો એવી ધર્મ સોગઠી, કર્મ શકુની હાર ગણે, હાર બતાવો મોહને એવી, ધોળા દિવસે તારા ગણે, નાડલાઈના રાજા છો મુજ આડોડાઈ દૂર કરો, ‘સોગઠિયા' પા૨સના ચરણમાં તનમનધન અર્પણ સદા. શ્રી સોગઠિયા પાર્શ્વનાથ જમીનમાંથી પ્રગટ્યા હતા. આ પ્રતિમાજી સંપ્રતિકાલીન જણાય છે. જેસલ પર્વતના મૂળમાં આ જિનાલયનું સ્થાપત્ય ૧૦માં સૈકાનું જણાય છે. ચોપાટ ચાર ગતિ તણી ખેલું પ્રભુ સંસારમાં, મુજ સોગઠી જિતાડજો, પહોંચાડજો તુ જ દ્વારમાં, જેખલગિરિના મૂળમાં જે જમીનમાંથી પ્રગટતા, ‘સોગઠિયા’પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સોગઠિયા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત ૨૩૫ શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy