SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ કે સંવત ૧૮૪૮માં કોઈ તસ્કર રાંતેજથી બે મૂર્તિઓની ચોરી કરીને સલખણપુર’ માં આવ્યો ત્યારે ગામના શ્રાવકોએ ૧ મણ અને પાશેરદાદા આપીને બન્ને મૂર્તિઓનો કબજો લીધો. બેમાંથી એક મૂર્તિ પોતાના ગામ માટે રાખી. અને બીજી મૂર્તિ કટુવડ ગામના શ્રીસંઘને સોંપી. અહીં રાખેલી મૂર્તિને એક જિનાલય બંધાવીને તેમાં ગાદીનશાન કરવાનો શ્રી સંઘે નિર્ણય કર્યો. | શ્રી સંઘે તરત જ ખંડેર જેવું ગણાતું એક મકાન દેરાસર બાંધવા માટે લીધું. અને ખોદકામ શરૂ કર્યું. ખોદકામ કરતાં એક વિશાળ ભોયરૂ પ્રાપ્ત થયું. ગામના શ્રીસંઘને ભોંયરામાંથી ૨૦૦ જેટલી જિન પ્રતિમાજીઓની પ્રાપ્તિ થઈ. પરિકરો, દેવ-દેવીઓ, ઓરશિયો, સુખડ સહિત ઘણી વસ્તુઓ મળી. સંઘે કેટલીક પ્રતિમાજી અનેક ક્ષેત્રોમાં મોકલી આપ્યા. ભોંયરામાંથી મોટી સંખ્યામાં જિન પ્રતિમાજીની પ્રાપ્તિથી એવું તારણ કઢાયું કે ભૂતકાળમાં અહીં ભવ્ય જિનાલય હોવું જોઈએ. [ ત્યારબાદ નૂતન જિનાલયનું નિર્માણ આરંભાયું. અને સંવત ૧૯૦૫માં નૂતન જિનાલયની મહામહોત્સવ સાથે પ્રતિષ્ઠા થઈ જેને આજે ૧૬૦ વર્ષ થયા છે. સંઘ દ્વારા દર વર્ષે પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગામના નામ પરથી અહીંના પાર્શ્વનાથ ‘શ્રી શંખલા પાર્શ્વનાથ' તરીકે ઓળખાય છે. ભોંયરામાં મૂર્તિઓ છે જેમાં શ્રી નવખંડા પાર્શ્વનાથનો મહિમા અપૂર્વ છે. મુનિ ભગવંતો અને કવિઓએ પોતાની પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ કરીને તીર્થને જુહાર્યા છે. વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓમાંથી ઉધૃત કરેલી માહિતી પ્રસ્તુત છે વર્તમાન “શંખલપુર' નામથી ઓળખાતું આ ગામ ઘણું પ્રાચીન છે. વિક્રમ સંવત ૧૪૬૬માં શ્રી મુનિસુંદર રચિત “ગુર્નાવલી' માં માંડવગઢના મંત્રી પેથડશાહે ૧૪માં સૈકામાં ભિન્ન ભિન્ન ગામોમાં બંધાવેલા ૮૪ જિનપ્રાસાદોની નોંધ રાખી છે. આ નોંધમાં જણાવ્યું છેકે ‘શ્રી વામેય જિનઃ સલક્ષણપુરે’ તેથી સલખણપુર પેથડશાહ શ્રી શંખલા પાર્શ્વનાથ ૨૦૪
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy