________________
કવિ ઋષભદાસજી વધુમાં જણાવે છે કેપંચ્યાશી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટનાદ; પિસ્તાલીસ જ્યાં પૌષધશાલ, કરઈ વખાણ અનિવાયાલ; પરુિકમણુ પૌષધ પૂજાય, પુણ્ય કરતાં દા'ડા જાય; પ્રભાવના વ્યાખ્યાન જહાંતિ, સ્તહમ્મિ વચ્છલ્લોઈત્યાહિ; કંડિલ ગોયરી સોહિ ત્યાં આંહિ, મુનિ પણ રહેવા હિંડી આહિ.
આ સ્થિતિ વિક્રમ સંવતના ૧૭માં સૈકામાં ખંભાત શહેરની હતી. વિક્રમ સંવતના ઠેઠ ૧૧ના શતકથી માંડી ૧૭માં સૈકા સુધી ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ખંભાતે પોતાનો યશસ્વી ધ્વજ દિગંતોમાં ફેલાવ્યો હતો. (સંકલિત)
(૩) મુનિ ભગવંતોએ પણ શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુના મહિમા ગાન ગાયા છે. તે અનુસાર.. ગુણરત્ન રોહણ ભુવન મોહન ભુવન પારસનાથજી, તુજ મુરતિના મલકાટથી મોહી રહ્યાં સુરનાથજી, મને મુક્તિ પગથારે ચઢાવો નાથ પકડી હાથજી,
શ્રી ભુવન” પારસનાથને ભાવે કરૂં વંદના. હતી આ ભગવાનને નવખંડા પાર્શ્વનાથ પ્રભુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તાડપત્રીય જ્ઞાન ભંડાર છે. જો નગર ખંભાતમેં, મણિરત્ન સે હૈ સોહતેT પ્રતિમા હૈ જીનકી અતિ મનોહર, નાથ મન કો મોહતે . ભક્તજન, શ્રધ્ધાળુ ભવિજન, રાહ પ્રતિપલ જોહતા ઐસે ‘શ્રી ભુવન પાર્શ્વ' કો મેં, ભાવસે કરૂં વંદના ..
શ્રી ભુવન પાર્શ્વનાથ
૧૯૮